એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણના કૌભાંડનો પર્દાફાશ


- અનેક રાજ્યોમાં ધર્માંતરણનું નેટવર્ક ફેલાયેલું હોવાનો ઉત્તર પ્રદેશ પોલીસનો દાવો

- દિલ્હીના ઉમર ગૌતમ અને જહાગીરે મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, મુકબધીરને ટાર્ગેટ બનાવ્યા હતૉ

- ધર્માંતરણ કરનારાઓને મોટી રકમ ચુકવાતી હતી, વિદેશી સંસ્થાઓ દ્વારા ફંડિંગ થતું હોવાનો પોલીસનો દાવો

લખનઉઃ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ સોમવારે દાવો કર્યો હતો કે તેમણે રાષ્ટ્રીય સ્તરે ચાલતા સામૂહિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમના નામ ઉમર ગૌતમ અને જહાગીર આલમ છે. બન્ને દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે. 

પોલીસનો દાવો છે કે આ બન્ને શખ્સો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ પણ મેળવી રહ્યા હતા. તેઓનો મુખ્ય ટાર્ગેટ દિવ્યાંગો, મુકબધીરો, બાળકો અને મહિલાઓ હતી. જેઓનું આ બન્ને શખ્સો ધર્માંતરણ કરાવી રહ્યા હતા. આરોપ છે કે આ બન્નેએ અત્યાર સુધી કુલ એક હજાર જેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આ જાણકારી એડીજી પ્રશાંત કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી. 

એડીજીએ જણાવ્યું કે વિપુલ વિજયવર્ગીય અને આસિફની ધરપકડ થઇ હતી. જેમની પૂછપરછ બાદ અન્ય જાણકારી બહાર આવી હતી. આ બન્ને શખ્સો પાસેથી મળેલી માહિતીના આધારે એક મોટી ગેંગનો પર્દાફાશ થયો હતો કે જે ધર્માંતરણ કરાવવાનું કામ કરતી હતી. લોકોને વિવિધ પ્રકારની લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવવાનું કામ આ ગેંગ કરે છે. 

જેમાં મુખ્ય નામ ઉમર ગૌતમ અને જહાગીર આલમ છે. આ બન્ને શખ્સો જામિયાનગરના રહેવાસી છે. ગૌતમે પણ પોતાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમની પાસેથી એક હજાર લોકોની યાદી મળી આવી છે કે જેઓનું લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ શખ્સો નબળા વર્ગના લોકોને પૈસા વગેરેની લાલચ આપતા અને લલચાવીને ધર્માંતરણ કરાવતા હતા. આ માટે તેમને વિદેશી સંસ્થાઓ પાસેથી સહાય પણ મળતી હતી. નોઇડા, કાનપુર, મથુરા વગેરે સ્થળોએ તેમની ગેંગ સક્રિય છેે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cYx8Ew
via IFTTT

ટિપ્પણીઓ નથી: