5 રજયન ચટણન લઈ ભજપન મટ તયર : પસદગન 3000 કરયકરન PM મદ આપશ મતર

નવી દિલ્હી, તા.16 જૂન-2023, શુક્રવાર

5 રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભાજપે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ માટે ભાજપે 3000 કાર્યકર્તાઓની પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી જૂને ભોપાલની મુલાકાત લેવાના છે. PM મોદી અહીં પક્ષના કાર્યકર્તાઓને મંત્ર આપશે. મળતા અહેવાલો મુજબ 5 ચૂંટણી રાજ્યોમાં મોદીના 3000 દૂત તૈનાત કરવામાં આવશે. ભાજપના પસંદગીના 3000 મંડલ સ્તરના નેતાઓને વડાપ્રધાન મોદી જીતનો મંત્ર આપશે અને સંબોધન બાદ પસંદગીના કાર્યકરો પણ વડાપ્રધાનને પ્રશ્ન કરી શકશે.

મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને આગળ વધારવા 3000 

મળતી માહિતી મુજબ આ તમામ કાર્યકર્તાઓ 26થી 28 જૂન દરમિયાન ભોપાલમાં રોકાશે. PM મોદી તમામ કાર્યકર્તાઓને ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમને આગળ વધારવા ગુરુ મંત્ર આપશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. મોદીના મંત્ર બાદ તમામ 3000 કાર્યકરો તેમના પસંદ કરાયેલા 5 રાજ્યો તુરંત રવાના થશે અને 10 દિવસ સુધી સતત પોતપોતાના વિસ્તારોમાં રહેશે. આ કાર્યકર્તાઓની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ જટિલ રહી છે.

કાર્યકર્તાઓ સરકારની તમામ સિદ્ધી લોકો સુધી પહોંચાડશે

એવું કહેવાઈ રહ્યું છે કે, પાર્ટીએ મોટા રાજ્યોના લોકસભા મતવિસ્તારમાંથી 7 અને નાના રાજ્યોમાંથી 3થી 5 કાર્યકરોની પસંદગી કરી છે. કુલ 8000થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે અરજી કરી હતી. આ તમામ કાર્યકર્તાઓ 10-10 દિવસ સુધી પોતપોતાના પસંદ કરાયેલા વિસ્તારોમાં રહેશે અને દરેકને 150 મંડળોની મુલાકાત કરવાની જવાબદારી સોંપાઈ છે. આ તમામ કાર્યકરો કુલ 45000 મંડળો સુધી પહોંચશે અને સરકારની તમામ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. 

PMની મુલાકાતથી કાર્યકરોનું મનોબળ વધશે

વડાપ્રધાન મોદી તેમની ભોપાલ મુલાકાત દરમિયાન જબલપુર-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ભોપાલ ભાજપ એકમના અધ્યક્ષ વી.ડી.શર્માએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીની ભોપાલ મુલાકાતથી રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BYIqCRr
via IFTTT

ટિપ્પણીઓ નથી: