Cyclone Biparjoy : માંડવી-નલિયા વચ્ચેના દરિયામાં ઉત્તર દિશાથી આવતા મોજા પશ્ચિમ તરફ ફંટાયા : વાવાઝોડું આંશિક દૂર ગયું પણ સંકટ હજુ યથાવત્


Cyclone Biparjoy નું લાઈવ ટ્રેકિંગ

કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા, જુઓ યાદી

09:45 PM

માંડવી-નલિયા વચ્ચેના દરિયામાં ઉત્તર દિશાથી આવતા મોજા પશ્ચિમ તરફ ફંટાયા

કચ્છમાં વાવાઝોડાની અસરથી લેન્ડફોલ થવાની શક્યતાઓ વચ્ચે માંડવી-નલિયા વચ્ચેના દરિયાના મોજા અલગ દિશામાં ઉછળતા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના જોખમ વચ્ચે ઉત્તર દિશામાં આવતા મોજા પશ્ચિમ તરફ ફંટાઈ રહ્યા છે. જ્યારે માંડવી દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

09:35 PM

જામનગરમાં લાખોટા તળાવ સહિત બગીચાઓ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય

સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર શહેરનું લાખોટા તળાવ, રણજીતસાગર પાર્ક સહીત તમામ બાગ બગીચાઓ તા.14 અને તા.15 જૂન બે દિવસ માટે બંધ રહેશે.


09:15 PM

રાજકોટ : ખોડલધામ મંદિર 2 દિવસ બંધ રાખવાનો કરાયો નિર્ણય

વાવાઝોડાને પગલે રાજકોટમાં આવેલ ખોડલધામ મંદિર 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા.14 જૂન અને 15મી જૂને ખોડમધામ મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો છે. બે દિવસ બાદ સરકારની સૂચના મુજબ મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાશે.

08:20 PM

બિપરજોય વાવાઝોડાની અસર પગલે દ્વારકામાં ગોમતી ઘાટ પાસે દરિયાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

08:15 PM

વાવાઝોડું આંશિક દૂર ગયું પણ સંકટ હજુ યથાવત્

ગુજરાત પર સંકટ બનીને આવી રહેલું વાવાઝોડું બિપરજોય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડું દરિયામાં 8 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, જે અગાઉ 10 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું હતું. હાલ મળતા અહેવાલો મુજબ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટ વિસ્તારથી વાવાઝોડું થોડુ જ દૂર નોંધાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર હતું, જે હવે 330 કિમી દૂર ગયું છે. જ્યારે દ્વારકાથી 290 કિલોમીટર દૂર કહેવાતું વાવાઝોડું 300 કિલોમીટર દૂર ગયું છે. જ્યારે જખૌથી પહેલાની જેમ જ 320 કિલોમીટર દૂર છે. એટલે કે વાવાઝોડું આંશિક જ દૂર ગયું છે અને તે ફરી વળાંક લઈને નજીક આવી શકે છે.

08:10 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત પર તોળાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના સંભવિત સંકટ સામે આપદા પ્રબંધનની વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી.સોમનાથ અને દ્વારિકા તીર્થક્ષેત્ર તેમજ મંદિરની સલામતી વ્યવસ્થા-યાત્રાળુઓની સુરક્ષા અંગે તંત્રવાહકોને માર્ગદર્શન આપ્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી અને કેન્દ્રી મંત્રીઓ-રાજ્યના મંત્રીઓ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા.

08:05 PM

ગીર સોમનાથમાં ગામના ખેતરોમાં ભરાયા

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી રહી છે. અહી મગફળીના પાકને વધુ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.

08:00 PM

અમદાવાદનો રિવરફ્રન્ટ 15 જૂનથી 48 કલાક બંધ રખાશે

સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે અમદાવાદના વહિવટીતંત્ર દ્વારા પણ રિવરફ્રન્ટ અંગે મોટો નિર્ણય કરાયો છે. શહેરનો રિવરફ્રન્ટ 15મી જૂનની સાંજથી 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

06:50 PM

સૌરાષ્ટ્રનાં દરિયામાંથી 11 શિપોને સલામત સ્થળે ખસેડાઈ

વાવાઝોડાને ધ્યાને રાખી સૌરાષ્ટ્રના દરિયામાંથી 11 શિપોને દૂર સલામત સ્થળે ખસેડવામાં આવી છે. વાવાઝોડાના કારણે બંદર ઉપર ૯ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આગમચેતી રૂપે બંદરો ઉપર લોર્ડીંગ-અન લોડીંગ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 11 શિપોને દૂર સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે, જેમાં હાલારના સિક્કા અને ઓખાનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના દરિયામાં કોલસાનું લોડીંગ અને બાર્જની અવરજવર બંધ છે અને શિપને દૂર લઈ જવામાં આવ્યું છે. શિપથી જેટીને નુકસાન ન થાય તથા શિપ પણ સલામત રહે તે માટે આ પગલા લેવાઈ રહ્યા છે.

06:47 PM

વાવાઝોડુ દ્વારકાથી 290 કિમી, જખૌ બંદરથી 320 કિમી, નલિયાથી 330 કિલોમીટર દૂર

વાવાઝોડુ બિપરજોયની ગતિ વધી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટર દૂર, જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર, નલિયાથી 330 કિલોમીટર દૂર છે. ચક્રવાતની ગતિ ગઈકાલની સરખામણીએ ધીમી પડતાં પ્રતિ કલાક 8 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું 15મી જૂનની સાંજ સુધીમાં કચ્છના માંડવી-જખૌ બંદરથી પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવવાની શક્યતા છે.  બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે.

06:44 PM

ભારે પવનથી ગીર સોમનાથના માઢવાડમાં 6 અને દ્વારકા બંદર ખાતે 4 મકાનો ધરાશાયી

કંડલા પોર્ટ પર પણ હાલ લોડિંગ અને અનલોડિંગની પક્રિયા બંધ કરવામાં આવી છે.  આ તરફ ભારે પવન અને વાવાઝોડાની સંભવિત અસરને પગલે ટ્રેન અને એસટી બસ સેવા  પ્રભાવિત થઇ છે. સૌરાષ્ટ્ર તરફ જતી 125 બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ભારે પવનને કારણે ગીર સોમનાથના માઢવાડમાં 6 અને દ્વારકા બંદર ખાતે 4 મકાનો ધરાશાયી થયા છે. જ્યારે માઢવાડ અને કોડિનારના દરિયામાં ભારે કરંટની સ્થિતિ જોવા મળી રહી છે.

06:40 PM

વાવાઝોડાના કારણે ટ્રાન્સપોર્ટેશન પર મોટી અસર

  • સૌરાષ્ટ્ર જતી 350 બસો રદ
  • સૌરાષ્ટ્ર જતી 60થી વધુ બસોના રુટ ટુંકાવાયા
  • ઓખા, પોરબંદરથી ઉપરથી 25 ટ્રેન રુટ ટુંકાવાયા
  • સોમનાથ, મહુવા, દીવ, પોરબંદર, વેરાવળ જતી ST બસો બંધ
  • રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, ભાવનગર, અમરેલી, કચ્છમાં સ્કુલો બંધ

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં સ્કુલો બંધ

06:30 PM

વાવાઝોડુ વધુ આક્રમક બન્યું, 150 કિમીની સ્પીડે પવન ફૂંકાશે

વાવાઝોડા અંગે સ્કાયમેટે જણાવ્યું કે, હવે વાવાઝોડું દિશા નહીં બદલે તેમજ 15 જૂન બપોર સુધીમાં બિપરજોય લેન્ડફોલ થશે અને ત્યારબાદ વાવાઝોડું ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સ્કાયમેટના અનુમાન મુજબ વાવાઝોડાની આસપાસની હવાની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે, ત્યારબાદ સમય જતા સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાકની જઈ જશે અને વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે. રાત્રી દરમિયાન વાવાઝોડું ક્રમશ નબળુ પડશે અને વાવાઝોડું ગુજરાત અને કરાંચીની વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડાના કારણે નલિયા, દ્વારકા, જામનગર, મોરબી, કંડલા, પોરબંદરમાં વ્યાપક અસર થશે.

05:40 PM

દ્વારકામાં તોફાની પવન સાથે સાંબેલાધાર વરસાદ

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી અતિભારે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ ઝડપી પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડા પહેલા જ દ્વારકામાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારકા શહેરમાં ઘૂટણસમા પાણી ભરાયા છે. દ્વારકાના હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં હર્ષદ ખાડીમાં પાણીનું સ્તર ઊંચુ આવ્યું છે. તો ભારે પવનના કારણે અહીં દુકાનોના પતરા ઉડ્યા હતા. ઉપરાંત પોરબંદર, ખંભાળિયા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઇ ચૂક્યું છે. કચ્છ-માંડવીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર ગઢડા અને ગીર જંગલમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં કાલાવડ, લાલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપલેટામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીનાં ખાંભા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.

05:25 PM

માંડવીના દરિયાનું રૌદ્ર સ્વરૂપ

કચ્છના માંડવી પાસેના દરિયાકાંઠે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં ભારે પવન ફુંકાવાના કારણે દરિયાકિનારે આવેલા ખાણીપીણીના સ્ટોલના પતરાં ઉડ્યા છે.

04:55 PM

બિપોરજોય વાવાઝોડાને લઈને અમદાવાદ જિલ્લામાં આકસ્મિક સંજોગોમાં નાગરિકોને નીચે દર્શાવેલ કંટ્રોલરૂમ નંબર પર સંપર્ક સાધી શકશે

04:50 PM

બિપોરજોય વાવાઝોડાની આફતને લઈ નવસારીમાં ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરિયલ મેમોરિયલ 13થી 16 જૂન-2023 સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય



04:15 PM

રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ એકશન મોડમાં

રાજકોટના ભક્તિનગર સર્કલ, ઉપલેટા – પોરબંદર રોડ, પીપળીયા રોડ,વાડોદર અને ભાદાજાળીયા રોડ સહિત અનેક જગ્યાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરને નોડલ તરીકે નિમણૂંક કરીને કુલ 25 ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. 


04:00 PM

રાજ્ય સરકારે જિલ્લાઓના કંટ્રોલરૂમના નંબર જાહેર કર્યા  

રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

  • અમદાવાદ - 079-27560511
  • અમરેલી - 02792-230735
  • આણંદ - 02692-243222
  • અરવલ્લી - 02774-250221
  • બનાસકાંઠા - 02742-250627
  • ભરૂચ - 02642-242300
  • ભાવનગર - 0278-2521554/55
  • બોટાદ - 02849-271340/41
  • છોટાઉદેપુર - 02669-233012/21
  • દાહોદ - 02673-239123
  • ડાંગ - 02631-220347
  • દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084
  • ગાંધીનગર - 079-23256639
  • ગીર સોમનાથ - 02876-240063
  • જામનગર - 0288-2553404
  • જૂનાગઢ - 0285-2633446/2633448
  • ખેડા - 0268-2553356
  • કચ્છ - 02832-250923
  • મહીસાગર - 02674-252300
  • મહેસાણા - 02762-222220/222299
  • મોરબી - 02822-243300
  • નર્મદા - 02640-224001
  • નવસારી - 02637-259401
  • પંચમહાલ - 02672-242536
  • પાટણ - 02766-224830
  • પોરબંદર - 0286-2220800/801
  • રાજકોટ - 0281-2471573
  • સાબરકાંઠા - 02772-249039
  • સુરેન્દ્રનગર - 02752-283400
  • સુરત - 0261-2663200
  • તાપી - 02626-224460
  • વડોદરા - 0265-2427592
  • વલસાડ - 02632-243238

03:45 PM

ગીરના જંગલમાં 100 સિંહોને શિફ્ટ કરવામાં આવ્યા

અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. જેમાં 100 સિંહોનું કાયમી રહેઠાણ બીચ નજીક જોવા મળે છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 

03:00 PM

કચ્છના દરિયાકાંઠાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારને ખાલી કરવાનો આદેશ

બિપરજોય વાવાઝોડા સામે કચ્છના કલેક્ટરે લોકોને આપીલ સાવધાનીના પગલા અનુસરવા કહ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે. દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારના ગામોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગે ગામની પ્રથામિક શાળાને સેટર હોમ તરીકે મૂકવામાં આવી છે. 

02:25 PM

અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો, કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500, પોરબંદરમાંથી 543, દ્વારકામાંથી 4,820, ગીર-સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

01:25 PM

વાવાઝોડા સામે લડવા તૈયાર છીએ: અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, વાવાઝોડા સામે લડવા કોઈ પણ પરિસ્થીતીમાં તૈયાર છીએ.આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલા કરતા વધુ મજબુત બનાવ્યું છે અને તે બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે. દરિયા કિનારાના વિસ્તારો પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

01:00 PM

બિપરજય વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોમાં નીચે દર્શાવેલ નંબરનો સંપર્ક કરી શકશો



12:55 PM

અંબાજીમાં  દિવસ સુધી રોપ-વે સેવા બંધ

આજથી 4 દિવસ સુધી યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરની રોપ-વેની સેવા બંધ વાવાઝોડાના પગલે બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટે 16 જૂન સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

12:45 PM

જામનગરમાં સ્થળાંતર કામગીરી 

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠા નજીક રહેતા કુલ 3200 લોકોનું સ્થળાંતર કરાયું છે. આજે સાંજ સુધી કુલ 8500 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવશે. જિલ્લાના 13 મીઠાના યુનિટો પર કામ કરતાં તમામ 355 અગિયારીઓને પણ આશ્રિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.


12:15 PM

ભાવનગરમાં પણ 14 અને 15 તમામ શાળાઓ બંધ 

વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વિધાર્થીઓને મુશ્કેલીના સર્જાઈ તે માટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. હાલ ભાવનગરમાં પણ 14 અને 15મી જૂને તમામ શાળાઓ બંધ રાખવા તંત્ર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

12:00 PM

વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર

વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર છે. તો આવતી કાલ રાતથી સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના છે. 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે. 

11:45 AM

અંબાલાલ પટેલની મોટી આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાની અસરને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. ઉપરાંત રાજ્યમાં 16 જૂનથી 20 જૂન સુધી વરસાદની સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. 

11:20 AM

15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 


11:15 AM

આવતીકાલે કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ 

આવતીકાલે કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


11:10 AM

આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર આજે ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


11:05 AM

આગામી 5 દિવસ વરસાદની આગાહી

આજે હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે, આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે લૅન્ડફૉલ કરશે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

11:00 AM

વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી 

વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. વાવાઝોડું 15 તારીખે નલિયાની આસપાસ લેન્ડફોલ કરશે. આ સાથે 15 તારીખે પવન 120-130 કિમી ઝડપે ફુંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

10:40 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક

કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ વાવાઝોડાની પૂર્વે તૈયારીઓ અંગે ગુજરાતના તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. 

10:15 AM

આજે ગૃહપ્રધાન અમિત શાહ કરશે સમીક્ષા બેઠક 

આજે ગૃહપ્રધાન અમિત શાહ કરશે સમીક્ષા બેઠક બિપરજોય વાવાઝોડાને લઇ સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ લોકો તેને પહોંચી વળવા બેઠકો કરી રહ્યો છે. આજે ગૃહપ્રધાન અમિત શાહ વાવાઝોડા અંગે સમીક્ષા કરશે. બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ અને 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.

9:50 AM

દ્વારકામાં ભારતીય કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન

દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા.

9:35 AM

અચોક્કસ મુદ્દત સુધી પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જામનગર બાદ હવે નવી સૂચના ના મળે ત્યાં સુધી એટલે કે અચોક્કસ મુદ્દત સુધી પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ રહેશે. 

9:30 AM

જગત મંદિર પર આજે ધજા નહીં ચડે

બિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકાધીશ મંદિર પર આજે ધજા ચડાવવામાં નહીં આવે. ઉપરાંત અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, દરિયાકાંઠે ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કરાયો છે.


9:10 AM

જામનગરના એસટી બસના 60 રૂટ કેન્સલ

સંભવિત વાવાઝોડા ના પગલે જામનગરના એસટી ડેપો પરથી એક્સપ્રેસ બસના 44 જ્યારે અન્ય 16 મળી કુલ 60 રૂટ કેન્સલ કરાયા છે.

8:45 AM

ગુજરાતના 62 તાલુકામાં વાવાઝોડાની અસર જોવા મળી છે. આ અસરથી રાજ્યના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ?

કેશોદ
5.5 ઈંચ
સૂત્રાપાડા
8.5 ઈંચ
વેરાવળ
8 ઈંચ 
માળિયા હાટીના
5 ઈંચ
માંગરોળ
4 ઈંચ
મેંદરડા
7.5 ઈંચ
માણાવદર
3.5 ઈંચ
વંથલી
3 ઈંચ
વિસાવદર  
3 ઈંચ
ઉપલેટા  3 ઈંચ
કુતિયાણા
2 ઈંચ
તલાલા
પોણા 2 ઈંચ
જૂનાગઢ
પોણા 2 ઈંચ

8:30 AM

8 જિલ્લામાં 6827 લોકોનું સ્થળાંતરણ

સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તંત્રે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

8:24 AM

પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવા થશે ઉપલબ્ધ  

આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે,  જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.

8:20 AM

વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત 

વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ સતત નજર રાખી રહ્યા છે. ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અંગે એક સમીક્ષા બેઠક કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

8:10 AM

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

8:05 AM

8 જિલ્લાના લગભગ 16 લાખ લોકો થશે પ્રભાવિત 

બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે માટે કોઈ જોખમ સર્જાઈ તે પહેલા વહીવટી તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે અને વિવિધ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તાર પરથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. 

7:55 AM

વાવાઝોડાને લઇ તંત્ર સતર્ક

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક, NDRF 21, SDRF 13 ટીમો તૈનાત, માર્ગ-મકાન વિભાગની 95 ટીમો વિસ્તારોમાં મોકલાઈ, ઊર્જા વિભાગની 577 ટીમો સજ્જ, 521 જેટલા PHC, CHC, હોસ્પિટલોમાં આરોગ્ય-રક્ષક દવા, સાધનોથી સજ્જ કરાઇ છે.

7:40 AM

રાજ્યમાં ગઈકાલે 57 તાલુકામાં વરસાદ વરસ્યો

બિપરજોય વાવાઝોડની ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અસર વર્તાઈ રહી છે. 15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી છે. તો બીજી તરફ વાવાઝોડાનું અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં ગઈકાલે 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 2 ઇંચ વરસ્યો વરસાદ તેમજ માળિયા હાટીનામાં દોઢ ઇંચ વરસાદ ખોબક્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો.  અમરેલીના ખાભામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

7:30 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ 

બિપરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું છે. AMCની ટીમે દરિયાઈ વિસ્તારમાં જવા માટે તૈયારી આરંભી દીધી છે. AMCની ફાયર વિભાગની 11 ટીમ રખાઈ સ્ટેન્ડ બાય રખાઈ છે, તો 15 ટીમો અને 100 જેટલો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય પર રખાયો છે. 5 લાઈફ સેવિંગ બોટ અને સાધનો સાથે કોર્પોરેશનની ટીમે સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી તમામ તૈયારીઓ કરી લીધી છે.

7:20 AM

કચ્છમાં 6730 લોકોને સલામત સ્થળે ખસેડાયા, કાલે 120 ગામના લોકોનું સ્થળાંતર કરાશે

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં આજે ૪૫૦૯ અગરિયા તથા ૨૨૨૧ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. ૧૩મી જુન સુધી દરિયાકાંઠાના વિસ્તારના ૧૨૦ ગામના કુલ ૯૫૭૯ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lVSbweP
via IFTTT

ટિપ્પણીઓ નથી: