બરજભષણન દબણમ બદલય નવદન ? સકષ મલકન દવ બદ સગર કસતબજન પતએ આપ પરતકરય

નવી દિલ્હી, તા.18 જૂન-2023, રવિવાર

ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલી સાક્ષી મલિકે કહ્યું હતું કે, સગીર મહિલા કુસ્તીબાજના પરિવારને ડરાવી ધમકી આપવામાં આવી હતી, પરંતુ હવે સગીર મહિલા કુસ્તીબાજના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તેમના પરિવારને કોઈ ધમકી મળી નથી. સગીર મહિલા કુસ્તીબાજના પિતાએ મીડિયાને કહ્યું કે, તેમની પુત્રીને નિવેદન બદલવા તેમના પરિવારને કોઈપણ ધમકી મળી નથી. તેમણે સાક્ષી મલિકને તેના નિવેદન અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી...

સગીર મહિલા કુસ્તીબાજના પિતાએ કહ્યું કે, અમારે જે કરવાનું હતું, તે અમે કર્યું છે... મારા પરિવારને ધમકી મળી હોવાના દાવામાં કોઈ સત્ય નથી. વાસ્તવમાં સાક્ષી મલિકે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, સગીર મહિલા કુસ્તીબાજે 2 વખત નિવેદન આપ્યા હતા. પહેલું નિવેદન ભારતીય દંડ સંહિતાની કલમ 161 હેઠળ પોલીસને આપ્યું હતું અને ત્યારબાદ બીજું નિવેદન કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે... પરંતુ સગીર કુસ્તીબાજના પરિવારને ધમકી મળી રહી હતી, તેથી તેણે તેનું નિવેદન બદલી નાખ્યું હતું.

ભાજપના 2 નેતાઓએ આંદોલન માટે મંજુરી અપાવી હતી : સાક્ષી મલિક

કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું હતું કે, અમારું આંદોલન રાજકીય પ્રેરિત નથી... આમાં કોંગ્રેસનો કોઈ હાથ નથી... અમે જાન્યુઆરીમાં પ્રથમવાર આંદોલન કર્યું હતું, ત્યારે ભાજપના 2 નેતાઓએ આંદોલન માટે મંજુરી અપાવી હતી. અમારી પાસે તેનો પુરાવો છે... સાક્ષીએ કહ્યું કે, અમે વારંવાર કહ્યું કે, અમારી લડાઈ સરકાર વિરુદ્ધ નથી... પરંતુ ફેડરેશન વિરુદ્ધ હતી... તેમણે કહ્યું કે, એકતા ન હોવાના કારણે વહિવટીતંત્ર આનો ફાયદો ઉઠાવે છે... જેના કારણે આ લડાઈ લડી શકાતી નથી...

રેસલિંગ કમિટીમાં એકતાનો અભાવ

સાક્ષી મલિક અને તેમના પતિ સત્યવ્રત કાદિયાને વીડિયોમાં કહ્યું કે, અમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમણે કહ્યું કે, કુસ્તી સાથે જોડાયેલા 90 ટકા લોકોને ખબર છે કે, છેલ્લા 12 વર્ષથી આ રીતે મહિલા કુસ્તીબાજો સાથે છેડખાની કરાતી હતી. આ બાબતે ઘણા લોકો અવાજ ઉઠાવવા માંગતા હતા, પરંતુ અમારી રેસલિંગ કમિટીમાં એકતાનો અભાવ હતો. જો કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો તે બાબત બ્રિજભૂષણ સુધી પહોંચી જતી હતી અને અવાજ ઉઠાવનારની કેરિયરમાં સમસ્યા આવવાની શરૂ થઈ જતી હતી.

શું છે બ્રિજભૂષણનો મામલો ?

ઉલ્લેખનિય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાના નેતૃત્વ હેઠળ તમામ કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે. તે દરમિયાન રમત-ગમત વિભાગે વચ્ચે પડતા કુસ્તીબાજોના ધરણા પ્રદર્શન સમાપ્ત થઈ ગયા હતા. ત્યારબાદ કુસ્તીબાજો 23 એપ્રીલે ફરી જંતર-મંતર પર ધરણા પર બેસ્યા... આ સાથે જ 7 મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. મહિલા કુસ્તીબાજોની ફરિયાદ બાદ પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ 2 કેસ નોંધ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8Q3DGMS
via IFTTT

ટિપ્પણીઓ નથી: