અમદવદ એરપરટ પરન ઘટન લનડગ દરમયન ફલઈટન પછળન ભગ રન-વ પર અડ ગય તમમ મસફર સરકષત

અમદાવાદ, તા.15 જૂન-2023, ગુરુવાર
આજે બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટનો અકસ્માત થતા રહી ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ લેન્ડ થયેલી ફાઈલનો પાછળનો ભાગ રન-વે પર અડી ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
તમામ મુસાફરો સુરક્ષિત, તપાસના આદેશ
આજે ઈન્ડિગોની ફ્લાઈટ નં.6E6595 બેંગ્લોરથી અમદાવાદ પહોંચી હતી. આ દરમિયાન લેન્ડીંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ (ટેલ સ્ટ્રાઈક) રન-વે પર અડી ગયો હતો, જેના કારણે તમામ મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે તમામ મુસાફરોનો સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ફ્લાઈટને ગ્રાઉન્ડેડ જાહેર કરી દેવાઈ છે. ઘટનાની જાણ થતાં જ ઈન્ડિગોના અધિકારીઓએ આ બાબતે તપાસ આદેશ આપ્યા છે.
ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરાઈ
ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડોયની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં લેન્ડીંગ સમયે ટેલ સ્ટ્રાઈકનો શિકાર થઈ... હાલ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ જાહેર કરી દેવાઈ છે. એરલાઈન્સે કહ્યું કે, ઘટનાની તપાસ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ કોલકાતાથી દિલ્હી આવી રેહલી એક ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડીંગ વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર થઈ હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/X7m5Yav
via IFTTT
ટિપ્પણીઓ નથી: