દેશમાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં 3,49,691 નવા કેસ, 2767 દર્દીઓના મોત


- અનેક રાજ્યોમાં લોકડાઉન છતાં સંક્રમણ પર કાબૂ નહીં

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2021, રવિવાર

દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3,49,691 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 2,767 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં 2,17,113 લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને દિલ્હી તેના પછીના ક્રમે છે. આ 5 રાજ્યોમાંથી નવા કેસના કુલ 53 ટકા કેસ નોંધાયા છે. 

અગાઉ શનિવારે દેશમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા હતા અને 2,624 દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન 2,19,838 દર્દીઓ સાજા પણ થયા હતા. તેના પહેલા શુક્રવારે પણ દેશમાં કોરોનાના 3.32 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા હતા. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3euLJaT
via IFTTT

ટિપ્પણીઓ નથી: