પ્રાણવાયુ સંકટ : હરીયાણાના ગુરુગ્રામની હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા 4 દર્દીઓના મોત

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર
દેશમાં કોરોનાનો કહેર શરુ છે અને ઓક્સિજનની અછતના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. દેશમાં અનેક જગ્યાઓ પર હોસ્પિટલો સતત ઓક્સિજન માટે સરકારને આજીજી કરી રહી છે. માત્ર આટલું જ નહીં પણ દેશમાં અનેક જગ્યાઓ પર ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોના મોત પણ થઇ ગયા છે. હજું ગઇકાલે જ રાજધાની દિલ્હીની જયપુર હોસ્પિટલમાં ઓક્સિજન ખુટી પડતા કોરોનાના 25 દર્દીઓના મોત થયા હતા.
ત્યારે અત્યારે હરિયાણાથી મળતા સમચાર પ્રમાણે હરિયાણાના ગુરુગરામની અંદર ઓક્સિજન પુરો થઇ જતા એક ખાનગી હોસ્પિટલમાં ચાર દર્દીઓના મોત થયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે વારંવાર જિલ્લા પ્રશાસન પાસે રજૂઆત કરવા છતા ઓક્સિજનની સપ્લાઇ ના થઇ,જેના કારણે ચાર લોકોના મોત થયા છે.
સવારે 11 વાગ્યે ગુરુગ્રામની કથૂરિયા હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન પુરો થઇ ગયો, જેના કારણે આ દુર્ઘટના બની છે. ચાર કોરોનના દર્દીઓની આવી મોત થતા, તેમના પરિવારના લોકો ગુસ્સે ભરાયા છે. તેઓ જિલ્લા પ્રશાનની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે માત્ર કાગળ પર યોજનાઓ બનાવી અને મીટિંગો કરીને જિલ્લાના અધિકારીઓ આવી મહામારીમાં કામ કરે છે. જ્યારે જમીની હકિકત એ છે કે કોરોનાના કારણે દરરોજ લોકો સુવિધાના અભાવે મરી રહ્યા છે.
ઉલ્લેખનીય વાત તો એ છે કે આ કંઇ પહેલી ઘટના નથી. છેલ્લા એક અટવાડિયાની અંદર દેશમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે. જેમાં ઓક્સિજન ના મળવાના કારણે દર્દીઓના તડપી તડપીને મોત થયા છે. વર્તમાન સમયે પણ સતત હોસ્પિટલો દ્વારા એવું કહેવામા આવી રહ્યું કે જો તેમને સમય પર ઓક્સિજન ના મળ્યો તો કેટલાય દર્દીઓના મોત થઇ શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3esR7v6
via IFTTT
ટિપ્પણીઓ નથી: