છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.54 લાખ નવા કેસ, 2800થી વધુના મોત, આશરે 2 લાખ લોકો સાજા થયા

- કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1,95,118 લોકોના મોત
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર
ભારત હાલ કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે. દરરોજ દેશમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં સોમવારે કોરોનાના કુલ 3.54 લાખ નવા કેસ સામે આવ્યા હતા જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
* 24 કલાકમાં કુલ 3,54,653 કેસ નોંધાયા
* 24 કલાકમાં 2,806 લોકોના મોત
* 28,07,338 એક્ટિવ કેસ
* 1,73,06,420 કુલ કેસ
* અત્યાર સુધીમાં કુલ 1,95,118 લોકોના મોત
* 24 કલાકમાં 2,18,674 લોકો સાજા થયા
* અત્યાર સુધીમાં કુલ 1,42,96,753 લોકો સાજા થયા
ભારતમાં સતત 5મા દિવસે કોરોનાના 3 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. મતલબ કે, છેલ્લા 5 દિવસમાં જ દેશમાં કોરોનાના 15 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
કોરોના સંકટની શરૂઆતમાં ભારતે સમગ્ર વિશ્વની મદદ કરી હતી. રેમડેસિવિરથી લઈને વેક્સિન પૂરી પાડવા સુધી ભારત ક્યાંય પાછું નહોતું પડ્યું. હવે જ્યારે ભારત પર કોરોનાની નવી લહેર ત્રાટકી છે તો દુનિયાના અનેક દેશ ભારતની સાથે છે. અમેરિકાએ વેક્સિન ઉત્પાદન માટે કાચો માલ આપવાની વાત કરી છે અને સાથે જ અન્ય કેટલીક મદદોની જાહેરાત કરી છે.
યુકેએ સારવાર માટે ઉપયોગી અનેક ઉપકરણો રવાના કરી દીધા છે. સાઉદી અરેબિયા, સિંગાપુર જેવા અનેક દેશો હાલ ભારતને ઓક્સિજન કન્ટેનર્સ પૂરા પાડી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sRfpUP
via IFTTT
ટિપ્પણીઓ નથી: