કોરોનાના નવા માત્ર 84 હજાર કેસ એક્ટિવ કેસ હવે ઘટીને 10 લાખ


દેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસ

કોરોનાથી વધુ 4002નાં મોત :  રીકવરી રેટ વધીને 95 ટકાને પાર, 24 કલાકમાં 20.44 લાખ ટેસ્ટ કરાયા

હોસ્પિટલો અંગે ખોટી માહિતી જાહેર ન થાય માટે કોરોનાથી થતા મોતનું ઓડિટ થવું જરૂરી : એઇમ્સ પ્રમુખ

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસો હવે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 84332 કેસો સામે આવ્યા છે. જે છેલ્લા 70 દિવસમાં સૌથી ઓછા છે. તે સાથે જ સતત પાંચમાં દિવસે કોરોનાના દૈનિક કેસોનો આંકડો એક લાખની નીચે રહ્યો છે. દરમિયાન કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4002 લોકોના મોત નિપજ્યા છે. 

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો હવે 10,80,690એ આવી ગયા છે જે કુલ કેસોના માત્ર 3.68 ટકા છે. બીજી તરફ રીકવરી રેટ પણ વધીને હવે 95.07 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 20.44 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કુલ ટેસ્ટનો આંકડો 37 કરોડને પાર પહોંચ્યો છે. કોરોનાના કુલ કેસોનો આંકડો હવે 2.93 કરોડને પાર પહોંચી ગયો છે જ્યારે 2.79 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો અને સાજા થઇ ગયા છે.  

બીજી તરફ સરકારે કહ્યું છે કે કો-વિન સિસ્ટમને હેક કરીને ડેટા લીક કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલો જુઠા અને પાયા વિહોણા છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઇ પણ ડેટા લીક નથી થયા. હેકિંગ અને ડેટા લિકના જે દાવા થઇ રહ્યા છે તેની ખરાઇ કરવામાં આવી છે અને આવી કોઇ જ માહિતી નથી. હાલ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોના રસીના 25.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

રાજ્યો પાસે હજુ પણ રસીના 1.12 કરોડ ડોઝ ઉપલબૃધ છે તેમ કેન્દ્ર સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું.  દરમિયાન એઇમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કોરોનાને કારણે થયેલા મોતનું ઓડિટ કરવું જોઇએ કે જેથી પારદર્શીતા આવે.

કોરોના મહામારી સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન હોસ્પિટલો અંગે જો ખોટી માહિતી જાહેર થાય તો તેનાથી આ અભિયાનને અસર પહોંચી શકે છે માટે હોસ્પિટલો અને રાજ્ય સરકારો દ્વારા કોરોના સંબંધી મૃત્યુ અંગે ઓડિટ થવું જોઇએ. 

ઘરે બેઠા રસી આપનારૂ બિકાનેર દેશનું પહેલુ શહેર

બિકાનેર, તા. 12

કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન પણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. આ પરિસિૃથતિ વચ્ચે રાજસૃથાનનું બિકાનેર દેશનું પહેલુ એવુ શહેર બન્યું છે કે જ્યાં ઘરે જઇને લોકોને રસી આપવામાં આવી રહી છે. 

અત્યાર સુધી ડ્રાઇવ થુ્ર રસી અભિયાન ચાલી રહ્યું હતું પણ હવે ડોર ટુ ડોર રસીકરણ અભિયાન રાજસૃથાનના બિકાનેરથી શરૂ કરવામાં આવ્યું છે. બિકાનેરમાં 45 વર્ષથી વધુ વયના જે પણ લોકો છે તેમને ઘરે જઇને પ્રશાસન દ્વારા રસીનો ડોઝ આપવામાં આવશે. 

આ માટે વિશેષ બે એમ્બ્યૂલંસ અને ત્રણ મોબાઇલ ટીમ તૈયાર કરી લેવામાં આવી છે અને તેમને આ કોપ સોપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રશાસને લોકોની સેવા માટે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. 

લાંબી દાઢીવાળાને માસ્ક બરાબર ફિટ ન થતુ હોવાથી કોરોનાનો ખતરો

કોરોના ફેલાવવા અંગે હાથ ધરાયેલા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો દાઢી રાખે છે તેમને કોરોના વાઇરસ થવાની શક્યતાઓ વધુ રહે છે. ખાસ કરીને લાંબી દાઢી રાખનારા લોકો વાઇરસની લપેટમાં ઝડપથી આવી શકે છે કેમ કે કોરોના વાઇરસ દાઢીના વાળ થકી શરીરમાં શ્વાસ અને મોઢા દ્વારા પ્રવેશ કરી શકે છે.

અમેરિકન એકેડમી ઓફ ડર્મોટોલોજીના સભ્ય ડોક્ટર એંથની એમ રોસીએ સ્ટડીના આધારે કહ્યું છે કે જો કોઇની દાઢી ઘનઘોર અને લાંબી હોય તો તેમના માટે માસ્ક પહેરવું મુશ્કેલ બની જાય છે અને યોગ્ય રીતે ફિટિંગ નથી થતું. તેથી મોઢુ અને નાક પણ બરાબર નથી ઢંકાતા. આવી પરિસિૃથતિમાં કોરોના વાઇરસ શરીરમાં સહેલાઇથી પ્રવેશ કરી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gitCHd
via IFTTT

ટિપ્પણીઓ નથી: