વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે અઠવાડિયામાં બીજી વખત કેન્દ્રિય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સહિત કેન્દ્રિય મંત્રીપરિષદના અન્ય સહયોગીઓ સાથે બેઠક કરી છે. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાડર હતા. વડાપ્રધાને ગયા અઠવાડિયે પણ આ પ્રકારની બેઠક કરી હતી.
એવી જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિતેલા બે વર્ષમાં વિવિધ મંત્રાલયોમાં થયેલા કામનો હિસાબ લઇ રહ્યા છે અને સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ જ પંક્તિમાં આજે પાંચની બેઠક યોજિ હતી. જેમાં રાજનાથ સિંહ અને ગડકરી સિવાય કેન્દ્રિય મંત્રી ડી વી સદાનંદ ગૌડા અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સહિત કેટલાક અન્ય મંત્રીઓ પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું કે ભાજપા અધ્યક્ષ લગભગ આ તમામ બેઠકોમાં ઉપસ્થિત હતા.
ગયા અઠવાડિયે મોદીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રવિશંકર પ્રસાદ અને જિતેન્દ્ર સિંહ સાથે ચર્ચા કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રિય મંત્રી પરિષદનો વિસ્તાર અને ફેરબદલ કરતા પહેલાની પ્રકરિયા છે. આ તમામ બેઠકો પાંચ કલાક લાંબી ચાલી છે. આ બેઠકોમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકો એવા સમયે થઇ રહી છે જ્યારે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શમી ગઇ છે. આ લહેર દરમિયાન સરકારને આલોચનાનો સામનો કરવો પડ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cGi9im
via IFTTT
ટિપ્પણીઓ નથી: