Corona cases: રાજ્યમાં આજે 405 કેસ નોંધાયા, 6 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.62 ટકા

ગાંધીનગર, 14 જુન 2021 સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 405  કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 10003 પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 97.62 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 9542 પર પહોંચ્યો છે. જેમાંથી 223 દર્દી વેન્ટિલેટર પર અને 9319 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશનમાં 54, અમદાવાદમાં કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 37, સુરત 24, વડોદરા 24,  ગીર સોમનાથમાં 20, રાજકોટ કોર્પોરેશન 19,   જૂનાગઢમાં 18, પોરબંદરમાં 16, રાજકોટમાં 13, અમરેલી 12, જૂનાગઢ કોર્પોરેશન 12, ભરૂચ 9, નવસારી 9, બનાસકાંઠા 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશન 8,  ખેડા, વલસાડમાં 8-8, પંચમહાલમાં 7, આણંદમાં 6, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર અને કચ્છમાં 5-5, સાબરકાંઠા અને તાપીમાં 4-4, જામનગર 3,  મહીસાગરમાં 3, અરવલ્લી 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2 અને નર્મદામાં 1 સહિત કુલ 405 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 1, રાજકોટ, ભરૂચમાં 1-1 દર્દીઓના મોતનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 2,93,131 લોકોનું રસી લગાવવામાં આવી છે. જેમાં 3343 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2150 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 56,222 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 26,186 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,99,812 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 5,318 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં 2,05,58,024 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vl9I2B
via IFTTT

ટિપ્પણીઓ નથી: