'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ અને કાશ્મીર માનવામાં આવે', સંયુક્ત રાષ્ટ્રમાં માગ


- ઉપયુક્ત શબ્દાવલિનું નિર્માણ અને તેનું અંગીકરણ એક વિવાદિત મુદ્દાને પરિભાષિત કરવા ઉપરાંત તેના સમાધાન માટેનો રસ્તો શોધવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છેઃ જુનૈદ કુરૈશી

જમ્મુ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર

જિનેવા ખાતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 49મા સત્ર દરમિયાન કાશ્મીરી માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, અક્સાઈ ચીનના એક ખૂબ મોટા હિસ્સા પર ચીને કબજો જમાવેલો છે માટે તેને ઔપચારિક રીતે 'ચીનના કબજાવાળા જમ્મુ અને કાશ્મીર' તરીકેની માન્યતા મળવી જોઈએ. શ્રીનગરના જુનૈદ કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપીય ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (EFSAS) ના ડિરેક્ટર છે. 

વિવાદના ઉકેલનું માધ્યમ છે શબ્દાવલિ

જવાબમાં જુનૈદે કહ્યું કે, હું મારા પૂર્વજોની ભૂમિ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પરિષદનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છું છું. આ અંગે પરિષદમાં અનેક દશકાઓથી ચર્ચા થતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ મુદ્દા અંગે જે શબ્દાવલિઓ રચવામાં આવેલી છે તે પૈકીની મોટા ભાગની અનેક વર્ષોથી સામાન્ય ઉપયોગમાં લેવાય છે. ઉપયુક્ત શબ્દાવલિનું નિર્માણ અને તેનું અંગીકરણ એક વિવાદિત મુદ્દાને પરિભાષિત કરવા ઉપરાંત તેના સમાધાન માટેનો રસ્તો શોધવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8k2db7o
via IFTTT

ટિપ્પણીઓ નથી: