લોકસભા ચૂંટણીમાં હવે 13 મહિના બાકી છે ત્યારે પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને આપ્યો આવો મેસેજ

Image Twitter

નવી દિલ્હી, તા 17 જાન્યુઆરી 2023, મંગળવાર

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીના સમાપન સમારોહમાં આજે મંગળવારે PM મોદીએ તેમના સંબોધનમાં BJPના કાર્યકર્તાઓ મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું કે હવે લોકસભાની ચૂંટણીને 400 દિવસ બાકી છે. તો પુરી તાકાત સાથે બધાએ તૈયારીમાં જોડાઈ જવા વાત કરી હતી. આ સાથે PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે BJP માત્ર રાજનીતિક આંદોલન નથી રહ્યુ પણ હવે સામાજીક - આર્થિક સ્થિતિને બદલવા માટે સામાજીક આંદોલન કરવુ પણ જરુરી છે. 

PM મોદીએ કઈ કઈ મહત્વપુર્ણ વાત કરી.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે પ્રઘાનમંત્રી મોદીએ કઈ રીતે અમે કુશાસનથી સુશાસન તરફ આવ્યા તે સંદેશ આપણે યુવાનો સુધી પહોયાડવાનો છે. તેમણે કહ્યુ કે આપણે સંવેદનશીલતા સાથે સમાજના દરેક વર્ગમાં જોડાવાનુ છે. વોટની ચિંતા કર્યા વિના દેશ અને સમાજને બદલવાનુમ કાર્ય BJPએ કરવાનું છે. તેમણે કહ્યુ કે પ્રઘાનમંત્રીએ જે પ્રકારે આપણે બેટી બચાવો અભિયાનને સફળ બનાવ્યું છે તે જ પ્રકારે હવે ધરતી બચાવો અભિયાન ચલાવવાનુ છે. ખાતરની વધુ પડતા ઉપયોગના કારણે જળવાયુ પરિવર્તન અને પૃથ્વી પરના પરિણામોને ઘટાડવાની તાતી જરૂર છે.

આપણા દરેક રાજ્યોએ એકબીજા સાથે સમન્વય સાથે ભાવનાત્મક રીતે જોડાવુ જોઈએ

દેવેન્દ્ર ફડણવીસે વધુમા જણાવતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ કહ્યું, મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ભૂમિકા હોવી જોઈએ. આ ઉપરાંત આપણા દરેક રાજ્યોએ એકબીજા સાથે સમન્વય સાથે ભાવનાત્મક રીતે જોડાવુ જોઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાનનું આજનું સંબોધન ખુબ પ્રેરણાદાયી તેમજ દિશા સુચક પણ હતુ અને નવા વિચારોથી રસભર હતું. તેમણે કહ્યું કે આપણા જીવનની દરેકે દરેક ક્ષણ ભારતની વિકાસ ગાથામાં લગાવો. આ 'અમૃત કાલ' ને 'કર્તવ્ય કાલ'માં પરિવર્તિત કરવાથી જ દેશને પ્રગતિ તરફ આગળ લાવી શકાય છે.

આપણા જીવનની એક એક ક્ષણ અને આપણા શરીરના કણ-કણ ભારતની વિકાસગાથામાં લગાવીએ

પીએમ મોદીએ કહ્યું, ભારતના જીવનનો સર્વોત્તમ સમય આવી રહ્યો છે અને આપણે તેને સામે આવતો જોઈ રહ્યા છીએ. આવા સમયે આપણે મહેનત કરવામાં પાછા ના પડીએ. આપણા પ્રયત્નોની પરાકાષ્ઠા કરીએ. આપણા જીવનની એક એક ક્ષણ અને આપણા શરીરના કણ-કણ ભારતની વિકાસગાથામાં લગાવીએ. 

 ભારતની આઝાદીના 75 વર્ષથી લઈને 100 વર્ષ સુધીની યાત્રાને વડાપ્રધાન 'અમૃત કાલ' કહે છે

તમને એક વાત યાદ અપાવીએ કે ભારતની આઝાદીના 75 વર્ષથી લઈને 100 વર્ષ સુધીની યાત્રાને વડાપ્રધાન 'અમૃત કાલ' કહે છે. તેમના સંબોધનમાં  પીએમ મોદીએ ભાજપના વિવિધ મોરચાઓને સરહદી ક્ષેત્રોમાં કાર્યક્રમો કરવા, મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં યોગદાન આપવુ તેમજ  કાશી-તમિલ સંગમની તર્જ પર અન્ય ભાષાઓથી જોડાયેલ કાર્યક્રમોનું આયોજન કરવા અને પાર્ટીના સ્થાનિક સભ્યોના જિલ્લાવાર સંમેલન માટે સૂચના આપી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gjIrVYu
via IFTTT

ટિપ્પણીઓ નથી: