31 ઓક્ટોબર સુધીમાં રૂ. 2000ની 97 ટકા નોટ પરત


- રૂ. 10,000 કરોડની નોટ જમા કરાવવાની બાકી

- હજુ પણ આરબીઆઇના 19 કેન્દ્રો પર રૂ. 2000ની નોટ જમા કે એક્સચેન્જ કરાવી શકાય છે 

મુંબઇ : રૂપિયા ૨૦૦૦ની ૯૭ ટકાથી વધુ નોટસ બેન્કિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે અને હવે માત્ર રૂપિયા ૧૦,૦૦૦ કરોડના મૂલ્યની રૂપિયા ૨૦૦૦ની નોટસ જાહેર જનતા પાસે પડી છે, એમ રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.

વર્તમાન વર્ષના મેમાં આરબીઆઈએ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટસ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ૧૯મી મે ૨૦૨૩ના જ્યારે આ નોટસ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે રૂપિયા ૩.૫૬ લાખ કરોડના મૂલ્યની નોટસ સર્ક્યુલેશનમાં હતી.

૩૧ ઓકટોબર, ૨૦૨૩ના અંતે આ નોટસમાંથી ૯૭ ટકાથી વધુ નોટસ બેન્કિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે અને રૂપિયા ૧૦,૦૦૦ કરોડની નોટસ જ હવે જાહેર જનતા પાસે છે. 

જેમની પાસે રૂપિયા ૨૦૦૦ની નોટસ હજુપણ પડી હોય તેઓ રિઝર્વ બેન્કના ૧૯ કેન્દ્રો ખાતે તે જમા કરાવી શકે છે. જો કે આરબીઆઇના આ કેન્દ્રો પર ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે.

જો કે આરબીઆઇએ એક નિવેદનમાં લોકોને ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસથી આરબીઆઇના ૧૯ કેન્દ્રોમાં ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની સુવિધાનો લાભ લેવા જણાવ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/o2yukjU
via IFTTT

ટિપ્પણીઓ નથી: