મુંબઈની હવા દિલ્હી જેટલી જ પ્રદૂષિત, વાંચો આ કારણોથી મુંબઈકર છે સલામત

Image Twitter 

તા. 8 નવેમ્બર 2023, બુધવાર

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 8 નવેમ્બરના રોજ બંદરમાં પ્રદુષણનું સ્તર 200 નોંધાયું હતું. નિષ્ણાતો અનુસાર મુંબઈમાં વાયુ પ્રદુષણ માટે ત્યાં થતા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન, કાર અને ટ્રકોમાંથી નીકળતો ધુમાડો છે. દિલ્હી અને મુંબઈમાં તફાવત એટલો છે કે મુંબઈ ગેસ ચેમ્બર બનતું નથી. 

આ સંજોગોમાં સવાલ ઉપસ્થિત થયા છે કે જ્યારે મુંબઈમાં દિલ્હી જેટલું પ્રદૂષણ છે, તો પછી AQI ચાર્ટ દિલ્હી કરતાં ઓછું પ્રદૂષણ કેમ દર્શાવે છે? તો તેનું સૌથી મોટું કારણ તેની ભૂગોળ છે. હકીકતે મુંબઈ હિંદ મહાસાગરના કિનારે આવેલું છે, જ્યાં સરેરાશ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. આ શહેર ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે, તેથી અહીંનો પવન પ્રદૂષણના કણોને દૂર લઈ જાય છે અને અહીંની હવા દિલ્હી કરતાં ઓછી ખતરનાક રહે છે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ શું છે?

દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગુણવત્તા અંગેની સ્થિતિ અન્ય ઘણા લોકો કરતા વધુ ગંભીર છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં છે. AQI મુજબ, 8 નવેમ્બર 2023 ના રોજ સવારે હવાની ગુણવત્તા 500 થી વધુ નોંધવામાં આવી હતી.

દરરોજ પેદા થઈ રહેલા પ્રદૂષણને કારણે સ્થિતિ ગેસ ચેમ્બર કરતા પણ વધુ ખરાબ

જો આપણે દિલ્હીમાં પ્રદૂષણના પરિબળો પર નજર કરીએ, તો જોવા મળશે કે મકાન બાંધકામ, કાર અને ટ્રકમાંથી આવતા ધુમાડા ઉપરાંત પડોશી રાજ્યોમાં પરાળ પણ સળગાવવામાં આવે છે. જેનો ધુમાડો ઉત્તર-પૂર્વ તરફથી આવતા પવનોને કારણે દિલ્હીના આકાશમાં જમા થાય છે અને અહીં દરરોજ પેદા થઈ રહેલા પ્રદૂષણને કારણે સ્થિતિ ગેસ ચેમ્બર કરતા પણ વધુ ખરાબ થાય છે. 

ભૂગોળ પણ એક કારણ

દિલ્હી એક મેદાની રાજ્ય છે, જ્યાં સામાન્ય રીતે માત્ર 2 થી 3 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે, જેના કારણે પ્રદૂષણના કણો સામાન્ય સ્થિતિમાં જોઈએ તેટલી ઝડપથી આગળ વધી શકતા નથી. એટલા માટે અહીં ધીમે ધીમે પ્રદૂષણ વધતું જાય છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WEIgAcn
via IFTTT

ટિપ્પણીઓ નથી: