દિલ્હીમાં પ્રતિ કલાક 1,000 કોરોના પોઝિટિવનો ઉમેરો, કુંભથી આવનારાઓ થવું પડશે ક્વોરેન્ટાઈન


- દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 24.56 ટકા થઈ ગયો
નવી દિલ્હી, તા. 18 એપ્રિલ, 2021, રવિવાર
રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા નવા રેકોર્ડ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં શનિવારે પાછલા 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ સામે આવ્યા હતા. મતલબ કે, દર કલાકે 1,000થી પણ વધારે લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે. એક દિવસમાં સૌથી વધુ સંક્રમિત નોંધાવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 167 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી ઉંચો મૃતકઆંક છે.
દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 24.56 ટકા થઈ ગયો છે તે પણ ખૂબ જ ચિંતાજનક બાબત છે. મતલબ કે, પ્રત્યેક 100 ટેસ્ટમાં 25 લોકો સંક્રમિત આવી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના કારણે દિલ્હીની સ્થિતિ વણસી રહી હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 'દિલ્હીમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 24,000થી વધારે કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં કેસની સંખ્યા 19,500થી વધીને 24,000ને પાર થઈ ગઈ તેથી સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.'
કુંભથી આવનારાઓને ક્વોરેન્ટાઈન
કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત આવનારાઓ માટે 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દીધું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પ્રમાણે જો તમે 4 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા હોવ કે પછી 18 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કુંભ જઈ રહ્યા છો તો તમારી સંપૂર્ણ જાણકારી, નામ, દિલ્હીનું એડ્રેસ, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત આવવાની તારીખ વગેરે આદેશ જાહેર થયાના 24 કલાકની અંદર દિલ્હી સરકારની સાઈટ પર અપલોડ કરવાનું રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x7GZQT
via IFTTT
ટિપ્પણીઓ નથી: