દેશને ભરડામાં લઈ રહી છે કોરોનાની બીજી લહેર, 24 કલાકમાં 3.32 લાખથી વધુ નવા કેસ, 2256ના મોત

- કોરોનાના કેસમાં સતત વધારા સાથે રિકવરી રેટ ઘટીને 84 ટકા થઈ ગયો
નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2021, શુક્રવાર
દેશમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણ વચ્ચે અનેક હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની તંગી સર્જાવાથી હાહાકાર મચ્યો છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં એટલે કે ગુરૂવારથી શુક્રવાર સવાર સુધીમાં સતત બીજા દિવસે 3 લાખ કરતા વધારે રેકોર્ડ સમાન કોરોના કેસ સામે આવ્યા છે અને મૃતકઆંકમાં પણ વધારો થયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3.32 લાખથી વધારે કેસ સામે આવ્યા છે અને તે સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 24.21 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,250થી વધારે દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને તે સાથે જ કુલ મૃતકઆંક 1,86,928 થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને તે સાથે જ રિકવરી રેટ ઘટીને 84 ટકા થઈ ગયો છે.
ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર છેલ્લા કેટલાક સપ્તાહથી સતત ઘટી રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી રેકોર્ડ સમાન દૈનિક કેસ સામે આવી રહ્યા છે.
વર્લ્ડોમીટરના આંકડા-
* છેલ્લા 24 કલાકમાં કુલ 3,32,503 નવા કેસ સામે આવ્યા.
* છેલ્લા 24 કલાકમાં કુલ 2,256 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો.
* ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,62,57,309
* ભારતમાં કોરોનાથી મરનારા લોકોની કુલ સંખ્યા 1,86,928
* ભારતમાં અત્યાર સુધીમાં સાજા થઈ ગયેલા દર્દીઓની સંખ્યા 1,36,41,606
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sPEU9a
via IFTTT
ટિપ્પણીઓ નથી: