છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલિઓની સાથે અથડામણમાં 5 જવાન શહીદ, 10થી વધુ ઘાયલ
નવી દિલ્હી, 3 એપ્રિલ 2021 શનિવાર
છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 5 જવાનો શહીદ થઇ ગયા છે, જયારે અન્ય 10 જવાનો ઘાયલ થયાનાં રિપોર્ટ છે, અથડામણમાં કેટલાક નક્સલિઓનાં માર્યા જવાની પણ સંભાવના છે.
રાજ્યનાં પોલીસ સુપ્રિટેન્ડન્ટ ડી એમ અવસ્થીએ શનિવારે જણાવ્યું કે વીજાપુર જિલ્લાનાં તર્રેમ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલિઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળનાં 5 જવાનો શહીદ થઇ ગયા, આ ઘટનામાં લગભગ 10 અન્ય જવાનો ઘાયલ થયાનાં પણ સમાચાર છે.
અવસ્થીએ જણાવ્યું કે તર્રેમ વિસ્તારમાં સીઆરપીએફની કોબ્રા બટાલિયન, ડીઆરજી અને એટીએફનાં જવાનોને નક્સલ વિરોધી અભિયાનમાં રવાના કરવામાં આવ્યા હતાં, આ દળ તર્રેમ વિસ્તારમાં પ્રવેશ્યું કે તરત જ નક્સલોએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો.
તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોનાં જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું, આ ઘટનામાં કેટલાક નક્સલો પણ માર્યા ગયા હોવાની સંભાવના છે,પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ જવાનોને બહાર નિકાળવાનાં પ્રયાસો ચાલું જ છે.
#UPDATE | Five security personnel died & around 10 others injured in an exchange of fire with Naxals in jungles near Tarrem, Bijapur, says Chhattisgarh DGP DM Awasthi https://t.co/JJNn9h4kfx pic.twitter.com/RPqbBRZhbE
— ANI (@ANI) April 3, 2021
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PUgzks
via IFTTT
ટિપ્પણીઓ નથી: