સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષકોને સ્મશાનગૃહમાં પણ સોંપાઈ કામગીરી


- મૃતદેહ ગણવાની કરવાની કામગીરી કર્મચારી સાથે શિક્ષકોને સોંપી

- અચાનક મૃત્યુ દર વધતા શહેરના સ્મશાનોમાં 24 કલાક કામગીરી કરવાની રહેશે

સુરત, તા. 9 એપ્રિલ, 2021, શુક્રવાર

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાન માં કર્યા છે જ્યાં 24 કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.

સુરતમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિ ના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગે વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની 6-6 કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનના જે કર્મચારીઓ હોય તે મૃતદેહની નોંધણી કરતા જ હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકો ને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો છે. સુરતના સ્મશાનમાં કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે અનેક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તેવામાં અહીં ફરજ બજાવતા કર્મચારીઓને સંક્રમણ થાય તેવી ભિતી વધી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39SpSZh
via IFTTT

ટિપ્પણીઓ નથી: