અમદાવાદ: કૃષ્ણનગરમા આવેલી અંકૂર સ્કૂલમાં ભીષણ આગ, ત્રણ બાળકો ફસાયા

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર
શહેરના કૃષ્ણનગરમાં આવેલી એક શાળામાં આજે 11 વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી છે. આગ પર કાબૂ મળેવવા ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગમાં ત્રણ બાળકો ફસાયા છે.
આ બનાવની મળતી વિગત અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકૂર શાળામાં આજે સવારે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. જોકે, મહત્વનનું તે છે કે કોરોનાકાળામાં શાળા બંધ છે ત્યારે શાળામાં ત્રણ બાળકો શું કરી રહ્યાં છે તે મહત્વનું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3adZyJF
via IFTTT
ટિપ્પણીઓ નથી: