અખિલેશ યાદવને થયો કોરોના, કોરોના પોઝિટિવ મહંતની લીધી હતી મુલાકાત


- અખિલેશ યાદવે પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવી આઈસોલેશનમાં રહેવા વિનંતી કરી

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અખિલેશ યાદવે બુધવારે સવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાની જાતને આઈસોલેટ કરી દીધી છે. 

સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું હતું કે, 'હાલ મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી છે અને ઘરે જ સારવાર શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને તપાસ કરાવી લેવા નમ્ર વિનંતી. તેઓ થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહે તેવી પણ વિનંતી.'

અખિલેશ યાદવે તાજેતરમાં જ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે કુંભની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ પોતાના સમર્થકો અને સાધુ સંતોને પણ મળ્યા હતા. અખિલેશ યાદવે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંદ નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર ગિરિ મહારાજને કોરોના હોવા છતા અખિલેશ યાદવે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના બે દિવસ બાદ અખિલેશ યાદવ પોતે જ કોરોનાની લપેટમાં આવી ગયા છે. જો કે, પાછળથી એવું પણ સામે આવ્યું હતું કે, અખિલેશ યાદવ નરેન્દ્ર ગિરિ મહારાજને સવારે મળ્યા હતા અને તેઓ સાંજે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e4A2Y6
via IFTTT

ટિપ્પણીઓ નથી: