મહેરબાની કરીને ફરી લોકડાઉન ના લગાવતા, બોલીવૂડની સંસ્થાએ કરી સીએમ ઠાકરેને અપીલ


મુંબઈ, તા. 3. એપ્રિલ, 2021 શનિવાર

મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસના પગલે સરકાર લોકડાઉન લગાવવા અંગે વિચારણા કરી રહી છે ત્યારે બોલીવૂડ સાથે જોડાયેલી સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને ફરી લોકડાઉન નહીં લગાવવા માટે અપીલ કરી છે.

સંસ્થાએ પત્રમાં કહ્યુ છે કે, ગયા વર્ષે લાગુ થયેલા લોકડાઉનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ.લાખો મજૂરો, ટેકનિશિયનો અને કલાકારો સામે લોકડાઉનનુ સંકટ ઉભુ થયુ હતુ.હવે જો ફરી લોકડાઉન લગાવાયુ તો બોલીવૂડ સાથે જોડાયેલા તમામ લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડશે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી મોટા સંકટમાં આવી જશે.

પત્રમાં જણાવાયુ છે કે, ગયા વર્ષે લોકડાઉન લગાવાયુ ત્યારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ નિર્માતાઓ, અભિનેતાઓ અને અભિનેત્રીઓએ મજૂરોની મદદ કરી હતી.જોકે હવે સંખ્યાબંધ નિર્માતાઓ અને કલાકારો હવે એવી હાલતમાં નથી કે ફરી લોકડાઉન લાગુ થયુ તો મજૂરો કે ટેકનિશિયનોની મદદ કરી શકે.આમ લોકડાઉન લાગુ થયુ તો તેમની સ્થિતિ તો વધારે બગડી જશે.ગયા વર્ષે જે લોકોને બોલીવૂડમાં પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા હતા તેમને હજી સુધી કામ મળ્યુ નથી.ફરી લોકડાઉન આવ્યુ તો બીજા લોકો પણ રોજગાર ગુમાવશે.

સંસ્થાના અધ્યક્ષ બી એન તિવારીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે સીએમ સાથે આ મુદ્દે બેઠક કરવા માટે પણ સમય માંગ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uhnoLP
via IFTTT

ટિપ્પણીઓ નથી: