મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગશે કે નહીં, CM ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8:30 વાગ્યે કરશે ઘોષણા
મુંબઇ, 2 એપ્રિલ 2021 શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કેસોમાં થઇ રહેલા સતત વધારાએ રાજ્યમાં કોહરામ મચાવી દીધો છે. કોરોના કેસના આંકડા સતત એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે કોરોનાના વધતા કેસ પર નિયંત્રણ લગાવવા માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરવાના છે. જેમાં લોકડાઉન કરવું કે નહિ તે અંગેનો નિર્ણયની ઘોષણા કરવામાં આવી શકે છે.
ગયા મહિને વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉનને એક વિકલ્પના તરીકે જોવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના લોકો પહેલા કરેલા લોકડાઉનની જેમ આ વખતે પણ નિયમોનું પાલન કરશે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, આવનારા સમયમાં સંક્રમણને રોકવા માટે કડક પગલા લેવામાં આવશે અને લોકોએ તેની તૈયારી રાખવી પડશે. આવા સંજોગોમાં સરકાર કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે મોટી ઘોષણા કરી શકે છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન લોકોને સંબોધન એવા સમયે કરવા જઇ રહ્યા છે, જ્યારે રાજ્યમાં ગુરુવારે કોવિડ -19ના 43,183 નવા કેસ સામે આવ્યા છે, નવા કેસોના પછી, કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 28,56,163 થઈ ગઈ છે. રાજ્યમાં રોગચાળાની શરૂઆત થયા પછી એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ અનુસાર 249 વધુ દર્દીઓ ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આ રીતે, ગયા વર્ષે ઓક્ટોબર પછી એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. આ સંક્રમણને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54,898 લોકોનાં મોત નીપજ્યાં છે.
કોરોનાના વધતા જતા કેસોને જોતા પૂણેમાં સાત દિવસનો આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન સંબંધિત ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. જરૂરી સેવાઓ લોકડાઉનથી બાકાત રાખવામાં આવી છે. સરકારના હુકમ અનુસાર આવતા સાત દિવસ સુધી બાર, હોટલ અને રેસ્ટરન્ટ બંધ રહેશે. જોકે હોમ ડિલિવરીની સુવિધામાં છૂટ આપાવમાં આવી છે.
ગાઇડલાઇન મુજબ લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં વધુ 50 લોકો લગ્નમાં ભાગ લઈ શકે છે અને અંતિમવિધિમાં મહત્તમ 20 લોકો ભાગ લઈ શકે છે. સરકારનો આ હુકમ આવતીકાલથી અમલી બનશે. પુણેના ડિવિઝનલ કમિશનરે આ માહિતી આપી છે.
Maharashtra Chief Minister Uddhav Thackeray to address people of the state today at 8:30 pm: Mumbai Mayor Kishori Pednekar#COVID19 pic.twitter.com/OOmJJezSEh
— ANI (@ANI) April 2, 2021
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dqZSW0
via IFTTT
ટિપ્પણીઓ નથી: