કોરોના સંકટના કારણે હવે પ્રતીકાત્મક જ રાખવામાં આવશે કુંભ: PMની સંતોને અપીલ

- પંચાયતી શ્રીનિરંજની અખાડા અને તપો નિધિ શ્રી આનંદ અખાડાએ કોરોનાની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને છાવણીઓ બંધ કરી
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ, 2021, શનિવાર
હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમિત આવ્યા તે સમાચારને લઈ પ્રશાસન સાબદું થઈ ગયું છે. અનેક અખાડાઓએ પહેલેથી જ કુંભમાંથી પાછા ફરવાની જાહેરાત કરી દીધી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના સ્વાસ્થ્યની સ્થિતિ જાણી. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો. મેં પ્રાર્થના કરી છે કે, બે શાહી સ્નાન થઈ ચુક્યા છે અને હવે કોરોનાના સંકટને પગલે કુંભને પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટ સામેની લડાઈને એક શક્તિ મળશે.
आचार्य महामंडलेश्वर पूज्य स्वामी अवधेशानंद गिरि जी से आज फोन पर बात की। सभी संतों के स्वास्थ्य का हाल जाना। सभी संतगण प्रशासन को हर प्रकार का सहयोग कर रहे हैं। मैंने इसके लिए संत जगत का आभार व्यक्त किया।
— Narendra Modi (@narendramodi) April 17, 2021
વડાપ્રધાન મોદીના નિવેદન મામલે મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ જણાવ્યું કે, 'અમે માનનીય વડાપ્રધાનજીના આહ્વાનનું સન્માન કરીએ છીએ. પોતાની અને અન્ય જીવોની રક્ષા મહત્વનું પુણ્ય છે. ધર્મ પરાયણ જનતાને હું વિનંતી કરૂ છું કે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરે.
ઉલ્લેખનીય છે કે, હરિદ્વાર ખાતે ચાલી રહેલા કુંભ મેળાનું 27 એપ્રિલના રોજ સમાપન થવાનું છે. આ બધા વચ્ચે બે અખાડાઓએ કુંભ મેળામાં પોતાની છાવણીઓ બંધ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે. પંચાયતી શ્રીનિરંજની અખાડા અને તપો નિધિ શ્રી આનંદ અખાડાએ કોરોનાની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x2Y12Q
via IFTTT
ટિપ્પણીઓ નથી: