કોરોના માટે બનાવી નોટબંધી જેવી રણનીતિઃ રાહુલ ગાંધીનો PM પર પ્રહાર


- સરકાર વધી રહેલા કોરોના સંક્રમણનો દોષ પણ સામાન્ય લોકોના માથે ઢોળી રહી છે તેવો આરોપ

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકારને સતત નિશાન પર લઈ રહ્યા છે. કોરોનાના કારણે વણસી રહેલી સ્થિતિને લઈ તેઓ સરકારને બરાબરની ટાર્ગેટ કરી રહ્યા છે અને અનેક મુદ્દે કેન્દ્રની રણનીતિ મામલે કટાક્ષ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ હવે કેન્દ્ર સરકારની વેક્સિન રણનીતિની તુલના નોટબંધી સાથે કરી દીધી છે. તેમણે લોકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવીને સરકારને આડેહાથ લીધી હતી. 

કોરોના માટે નોટબંધી જેવી રણનીતિઃ રાહુલ

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, કેન્દ્ર સરકારની વેક્સિન માટેની રણનીતિ નોટબંધીથી ઓછી નથી. સામાન્ય લોકો લાઈનોમાં લાગશે, ધન, સ્વાસ્થ્ય અને જીવનું નુકસાન સહન કરશે અને અંતમાં ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો થશે. રાહુલ ગાંધીએ અગાઉ પણ આ મુદ્દે સરકારને નિશાન પર લીધી હતી. 

રાહુલ ગાંધીએ ગુસ્સાના સૂરમાં કહ્યું હતું કે, સરકાર વધી રહેલા કોરોના સંક્રમણનો દોષ પણ સામાન્ય લોકોના માથે ઢોળી રહી છે. સાથે જ તેમણે પલાયન કરી રહેલા મજૂરોના ખાતામાં સરકાર પૈસા નાખે તેવી માંગણી કરી હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vaWyFB
via IFTTT

ટિપ્પણીઓ નથી: