UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને થયો કોરોના, મંત્રી ટંડન સહિત અનેક અધિકારીઓ પણ પોઝિટિવ


- મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેક અધિકારીઓ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ યોગી આદિત્યનાથ આઈસોલેટ થઈ ગયા હતા

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો જેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ચિકિત્સકોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ જવાબદારીઓ વર્ચ્યુઅલ રીતે પૂરી કરી રહ્યો છું.'

યોગી આદિત્યનાથે પ્રદેશ સરકારની તમામ ગતિવિધિઓ સામાન્ય રીતે સંચાલિત થઈ રહી હોવાની ખાતરી આપી હતી. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવીને સાવધાની રાખવા જણાવ્યું હતું. 

યોગી આદિત્યનાથના કાર્યાલયમાં અનેક અધિકારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથ આઈસોલેટ થઈ ગયા હતા અને તેમણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં બુધવારે તેઓ પોઝિટિવ આવ્યા છે. 

યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ એસપી ગોયલ, સચિવ અમિત સિંહ, ઓએસડી અભિષેક કૌશિક કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે સિવાય મુખ્યંત્રીના સરકારી આવાસ 5 કાલિદાસ માર્ગના સ્ટાફના બે સદસ્યો પણ કોરોનાની લપેટમાં આવ્યા હતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tj1TdJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: