દિલ્હીના સદર બજારમાં વિસ્ફોટ જેવો અવાજ આવતા ખળભળાટ, એક વ્યક્તિનું મોત

નવી દિલ્હી, તા.07 જાન્યુઆરી-2023, શનિવાર

દિલ્હીના સદર બજારમાં એક દુકાનમાં વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે. આજે સાંજે લગભગ 6.30 વાગ્યે વિસ્ફોટની માહિતી મળતા અહીંના કુતુબ રોડ પર ફાયર ફાઈટર બે ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. દિલ્હીના સદર બજારમાં જેવો ધડાકાનો અવાજ થતો, ત્યારે તુરંત ફાયર વિભાગે જાણ કરાઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો હોવાનું જણાય છે, કારણ કે સ્થળ પર આગ કે ધુમાડો નથી. જો કે વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

શું છે સમગ્ર મામલો?

ઘટનાસ્થળેથી પરત ફરેલા STO નવીને કહ્યું કે, એક દુકાનના ભોંયતળિયાનો ભાગ અને સીડીનો કેટલોક ભાગ ધરાશાઈ થયો છે, જેના કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થયા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. DFC યુનિટ આવે તે પહેલા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને PCV દ્વારા બારા હિન્દુ રાવ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં બિહારના સીતામઢીના રહેવાસી 35 વર્ષીય ગુલાબનું મોત નિપજ્યું છે.

પોલીસે કહ્યું,, પાઈપ ફાટવાથી ઘટના સર્જાઈ

તો બીજી તરફ દિલ્હી પોલીસે આ મામલામાં બ્લાસ્ટની વાતને નકારી જણાવ્યું છે કે, હાલ અમે કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પાણીના પંપની પાઈપ ફાટવાથી ઘટાના બની હોઈ શકે છે.

સદર બજારની ઘટનાને લઈ પોલીસનું નિવેદન

સદર બજાર પોલીસના જણાવ્યા મુજબ આજે સાંજે 6.20 વાગ્યાની આસપાસ દુકાન નં. 872, કુતુબ રોડ પર સિડી તૂટી જતાં અચાનક મોટો અવાજ આવ્યો હતો. આ પિંકી અગ્રવાલની દુકાન છે, જે અન્ડરગાર્મેન્ટ્સ વેચે છે અને આ ઘટના બાદ સીડીને નુકસાન થયું હતું અને દુકાનનો કેટલોક સામાન બહાર વેરવિખેર જોવા મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પાણીની પાઈપમાં ધડાકો થયો હોવાનું જણાય છે. પોલીસે જણાવ્યું કે આ મામલામાં એક ઘાયલને BHRમાં રિફર કરાયો છે. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિસ્તારને કોર્ડન કરાયો છે. એફએસએલની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી રહી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FmKurGb
via IFTTT

ટિપ્પણીઓ નથી: