ભારત-શ્રીલંકા વચ્ચે કાલથી T20 શ્રેણી શરૂ : ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાશે બદલાવ

નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2023, સોમવાર
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલ ત્રણ જાન્યુઆરીથી T20 સિરિઝ શરૂ થશે. બંને દેશો વચ્ચે પ્રથમ T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સિરિઝ જીતવા તમામ પ્રયાસો કરશે. આ સિરિઝ પહેલા ભારતીય ટીમની જર્સીમાં કેટલાક ફેરફાર થયા છે.
સિરિઝ પહેલા ખેલાડીઓનો ફોટોશૂટ કરાયો છે. યુઝવેન્દ્ર ચહલે આ ફોટોશૂટની એક ઝલક શેર કરી છે. આ તસવીરમાં યુઝવેન્દ્ર ઉપરાંત ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ જોવા મળી રહ્યા છે.
શ્રીલંકા સામેની સિરિઝમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. હવે ભારતીય ટીમની જર્સી પર નવા કિટ સ્પોન્સરનું નામ જોવા મળશે. અગાઉ ખેલાડીઓની જર્સી પર BCCIના લોકો ઉપરાંત MPL સ્પોર્ટ્સનું નામ જોવા મળતું હતું, હવે MPLના બલે ‘KILLER’ લખાયેલું જોવા મળશે.
MPL સ્પોર્ટ્સ 2023 સુધી ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી, જોકે કંપનીએ તેનો આ છેલ્લા વર્ષનો કોન્ટ્રાક્ટ Kewal Kiran Clothing Limitને આપી દેતા હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર તેમનો જ લોકો જોવા મળશે.
T20 શ્રેણી માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ-સુકાની), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર..
શ્રીલંકાનો ભારત પ્રવાસ
- પ્રથમ T20 : 3 જાન્યુઆરી, મુંબઈ
- બીજી T20 : 5 જાન્યુઆરી, પુણે
- ત્રીજી T20 : 7 જાન્યુઆરી, રાજકોટ
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pxB2sOI
via IFTTT
ટિપ્પણીઓ નથી: