સંઘ પ્રમુખ મોહન ભાગવત કોવિડ-19થી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ


- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સંઘ પ્રમુખ જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરી 

નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આરએસએસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે બપોરે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આરએસએસના અહેવાલ પ્રમાણે ડોક્ટર ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે. તેમને સામાન્ય તપાસ અને સાવધાની રાખવા નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સંઘ પ્રમુખ ડોક્ટર ભાગવત જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી હતી. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dR3L6T
via IFTTT

ટિપ્પણીઓ નથી: