કોરોનાથી ઉગરીને સાજા થઈ ગયેલા લોકોમાં વેક્સિનનો એક જ ડોઝ પણ કારગરઃ સંશોધન


- કોરોનાથી સાજા થયા હોય તેમનામાં વેક્સિનનો પહેલો ડોઝ 500 ગણા એન્ટીબોડી વધારી દે

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2021, સોમવાર

કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ વેક્સિનના બે ડોઝ લે તે જરૂરી છે પરંતુ જે લોકોને પહેલા સંક્રમણ લાગી ચુક્યું છે તેમનામાં વેક્સિનનો એક જ ડોઝ એન્ટીબોડીના સ્તરને વધારી દે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ વેક્સિન લેનારા લોકો પર કરેલા એક સંશોધનમાં આ ખુલાસો થયો છે.

એન્ટીબોડીમાં 500 ગણો વધારો

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોરોનાથી સાજા થયા હોય તે લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ 500 ગણા એન્ટીબોડી વધારી દે છે. આ લોકોમાં બીજા ડોઝની આટલી અસર નથી જોવા મળતી. 

નવી દિલ્હી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)ના વૈજ્ઞાનિકોએ સ્વાસ્થ્યકર્મીઓ પર અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો હતો. સંશોધનમાં બે અલગ-અલગ જૂથને વેક્સિન આપ્યા બાદ એન્ટીબોડીના સ્તરની તપાસ કરવામાં આવી હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ujRCxW
via IFTTT

ટિપ્પણીઓ નથી: