કોરોનાના સંક્રમણના પગલે હવે ચૂંટણી સભાઓ નહીં કરે રાહુલ ગાંધી, બીજા પક્ષોને પણ અપીલ કરી
નવી દિલ્હી,તા.18 એપ્રિલ 2021,રવિવાર
કોરોનાના વધતા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે ચૂંટણીને લગતા કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, દેશમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે જનસભાઓ કરવી યોગ્ય નથી. તેમણે તમામ પક્ષોના નેતાઓે પણ ચૂંટણી કાર્યક્રમો ટાળવા માટે અપીલ કરી છે. રાહુલે કહ્યુ છે કે, કોરોના સંક્રમણને જોતા બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરી રહ્યો છું. બાકી લોકોને પણ મારી અપીલ છે કે, સભાઓ ના કરો.
જોકે તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ત્રણ તબક્કાની ચૂંટણી માટે મતદાન બાકી છે અને અહીંયા છેલ્લા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થવાનુ છે.
જોકે અમિત શાહે કહ્યુ છે કે, રાહુલ ગાંધી તો બંગાળમાં ટુરિસ્ટની જેમ પ્રચાર કરવા માટે આવે છે.
બંગાળમાં એમ પણ ચૂંટણી માટે મુખ્ય જંગ ટીએમસી અને ભાજપ વચ્ચે છે. જોકે રાહુલ ગાંધીએ ઉપરોક્ત જાહેરાત કરીને બીજા રાજકીય પક્ષોને વિચારતા કરી દીધા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32stwFn
via IFTTT
ટિપ્પણીઓ નથી: