રાજધાનીમાં એક જ દિવસમાં કોરોનાના 25000 નવા દર્દીઓ, કેજરીવાલે અમિત શાહ પાસે માંગી મદદ
નવી દિલ્હી,તા. 18 એપ્રિલ 2021, રવિવાર
રાજધાની દિલ્હીમાં કોરોના રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. સ્થિતિ બદતર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25000 નવા દર્દીઓ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહ મંત્રી અમિત શાહની મદદ માંગી છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, સંક્રમણમાં 30 ટકાનો વધારો થયો છે. કોરોના માટે જે બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે તે બહુ ઝડપથી ભરાઈ રહ્યા છે. આઈસીયુ બેડની પણ દિલ્હીમાં કમી છે. હવે દિલ્હીમાં માંડ 100 કરતા ઓછા આઈસીયુ બેડ ખાલી છે. ઓક્સિજનની પણ દિલ્હીમાં અછત છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, ઓક્સિજનના અભાવે શનિવારે રાતે દિલ્હીમાં મોટી હોનારત થતા રહી ગઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન સાથે વાત થઈ છે. દિલ્હીમાં બેડની અછત છે તેવુ તેમને કહ્યુ છે. કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 10000 બેડ છે અને તેમાંથી 7000 બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ કરવામાં આવે તેવી માંગ કરી છે.
હવે દિલ્હીમાં યમુના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને કોમનવેલ્થ સ્ટેડિયમમાં બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P4uk08
via IFTTT
ટિપ્પણીઓ નથી: