બંગાળના વિકાસ આડે મમતા દીદી દીવાલની જેમ ઉભા રહી ગયા છેઃ પીએમ મોદી


કોલકાતા, તા. 17 એપ્રિલ 2021, શનિવાર

પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે અને બીજી તરફ પીએમ મોદીએ આસનસોલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ.

તેમણે આસનસોલને મિની ઈન્ડિયા ગણાવીને કહ્યુ હતુ કે, અહીંયા સાયકલથી લઈને કાગળ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાચ જેવા ઉદ્યોગોમાં કામ કરવા માટે આખા ભારતમાંથી લોકો આવતા હતા પણ હવે અહીંથી લોકો પલાયન કરી રહ્યા છે. મમતા દીદીની સરકારે અહીંયા માફિયા રાજ ફેલાવી દીધુ છે.ચાર તબક્કાના મતદાનમાં તો ટીએમસીના ટુકડા થઈ ગયા છે અને હવે બીજા ચાર તબક્કાના મતદાન બાદ દીદીનુ પત્તુ સાફ થઈ જશે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પાંચમા તબક્કામાં પણ ભાજપની તરફેણમાં ભારે મતદાન થઈ રહ્યુ છે.કેન્દ્ર સરકારે ખેડૂતોને વચેટિયાઓથી મુક્ત કરવાના કાયદા બનાવ્યા તો દીદી વિરોધમાં ઉતરી, કેન્દ્ર સરકારે ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાના શરુ કર્યા તો દીદીએ તેનાથી પણ ખેડૂતોને વંચિત રાખ્યા હતા.

મમતા બેનરજીએ વિકાસના નામે બંગાળના લોકોને દગો આપ્યો છે.વિકાસ આડે તેઓ દિવાલ બનીને ઉભા રઈ ગયા છે. કેન્દ્ર સરકારની પાંચ લાખની વિમા યોજના, શરર્ણાથીઓને નાગરિકતા આપવાના કાયદાનો પણ તેમણે વિરોધ કર્યો છે. હવે બંગાળને રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય તેવી ડબલ એન્જિનની સરકારની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે, કૂચબિહારમાં જે થયુ તેના પર એક ઓડિયો ટેપ બહાર આવી છે. પાંચ લોકોના મોત પર પણ મમતા બેનરજી રાજનીતિ કરી રહી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q3Ow2K
via IFTTT

ટિપ્પણીઓ નથી: