મનમોહનસિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો, કોરોના સામેની લડત માટે કેટલાક સૂચનો કર્યા

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2021, રવિવાર

દેશમાં કોરોના વાયરસનો ફેલાવો અત્યંત ઝડપથી થઇ રહ્યો છે. નવા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે, સાથે મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઇ રહ્યા છે. આ બદા વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કોરોના વાયરસ સામે લડવા માટેની કેટલીક સલાહ આપી છે. પત્રમાં તેમણ દેશમાં રસીકરણનો વ્યાપ વધારવાની વાત કરી છે.

મનોમોહનસિંહે પત્રમાં લખ્યું છે કે સરકારે સાર્વજનિક કરવું જોઇએ કે તેમના દ્વારા કઇ વેક્સિન ઉત્પાદક કંપનીઓને આવનારા 6 મહિના માટે કેટેલા ડોઝ વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જો આપણે 6 મહિનાની અંદર રસીકરણના લક્ષ્યને પુરો કરવો હશે તો તેના માટે પુરતા ઓર્ડર આપવાની પણ જરુર છે. જેથી સમય પર પુરતી રસી મળી શકે. 

મનમોહન સિંહે પત્રમાં લખ્યું છે કે સરકારે એ પણ જાહેર કરવું જોઇએ કે રસીન કેવી પારદર્શી રીતે રાજ્યને આપવામાં આવે છે. આપણે કેટલા લોકોનું રસીકરણ કર્યુ, તે જોવાના બદલે કેટલા ટકા વસતીનું રસીકરણ કર્યુ તે ધ્યાને લેવું જોઇએ. સરકારે રાજ્યોને ફ્રન્ટલાઇન વર્કરની શ્રેણી નક્કી કરવાની છૂટ આપવી જોઇએ. 

મનમોહનસિંહે પત્રમાં આગળ લખ્યું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. જ સારી વાત છે. સરકારે વેક્સિન નિર્માતા કંપનીઓને જરુરી ફંડ અને મદદ આપવી જોઇએ જેથી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થઇ શકે. અત્યારે કાયદામાં થોડો ફેરફાર કરીને વિવિધ કંપનીઓને લાઇસેન્સના માધ્યમથી વધારેમા વધારે કંપનીઓ રસીનું ઉત્પાદન કરી સકે તેવું કરવું જોઇએ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dsJd5F
via IFTTT

ટિપ્પણીઓ નથી: