બંગાળમાં હિંસા બાદ ECએ 72 કલાક સુધી કૂચબિહારમાં નેતાઓના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ


- મુખ્યમંત્રી પદનો લાભ લઈને મમતા બેનર્જી રવિવારે જ કૂચબિહારમાં PC યોજવા મક્કમ

નવી દિલ્હી, તા. 11 એપ્રિલ, 2021, રવિવાર

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં થયેલા ફાયરિંગમાં 4 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે આકરૂ વલણ અપનાવ્યું છે અને આગામી 72 કલાક સુધી કૂચબિહારમાં કોઈ પણ નેતા અને રાજકીય દળના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ આગામી ચરણના ચૂંટણી પ્રચારની સમય સીમામાં પણ ફેરફાર કર્યો છે. 

મતદાન દરમિયાન 4 લોકો માર્યા ગયા તેને લઈ જે તણાવ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ક્ષેત્રમાં 72 કલાક સુધી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, આગામી ચરણ એટલે કે પાંચમા તબક્કાના મતદાનના 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. 

મમતા બેનર્જી રવિવારે કૂચબિહાર જશે

ચૂંટણી પંચના આદેશ બાદ તમામ રાજકીય નેતાઓની સાથે સાથે મમતા બેનર્જી પર પણ કૂચબિહારમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીની હેસિયતથી મમતા બેનર્જી રવિવારે જ કૂચબિહારમાં પ્રેસ કોન્ફરન્સ યોજવા તત્પર છે. કૂચબિહાર જિલ્લાના સિતાલકુચી ક્ષેત્રમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના બની ત્યાર બાદ ચૂંટણી પંચે ફરીથી મતદાનનો આદેશ આપવા ઉપરાંત આકરૂ વલણ અપનાવ્યું છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QfS2GY
via IFTTT

ટિપ્પણીઓ નથી: