કર્ણાટક ચૂંટણી : 6 મેએ PM મોદી બેંગ્લોરમાં કરશે રોડ શો, તો સોનિયા ગાંધી હુબલીમાં કરશે સંબોધન

નવી દિલ્હી, તા.03 મે-2023, બુધવાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ પક્ષોએ જીત માટે પુરી તાકાત લગાવી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે છઠ્ઠી મે ખુબ જ મહત્વનો દિવસ છે. કારણ કે આ દિવસે વડાપ્રધાન મોદી  38 કિમીનો રોડ શો કરશે તો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી હુબલીમાં એક રેલીમાં સંબોધન કરશે.

સોનિયા ગાંધી હુબલીમાં એક રેલીમાં કરશે સંબોધન 

કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી 6 મેના રોજ કર્ણાટકના હુબલીમાં એક રેલીમાં સંબોધન કરશે. સોનિયા ગાંધીની 6 મેની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ અત્યાર સુધી પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વ હેઠળના કર્ણાટક અભિયાનથી દૂર રહ્યા છે. 

6 તારીખે બેંગ્લોરમાં 38 કિમીનો રોડ શો કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 મેના રોજ સાંજે બેંગ્લોર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 6 મેના રોજ 2 રોડ શો કરશે. બેંગ્લોરમાં કુલ 38 કિલોમીટર લાંબો રોડ શો કરશે. 6 મેના રોજ સવારે PM બેંગ્લોરમાં 8 કિલોમીટરનો રોડ શો કરશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે તેઓ 30 કિલોમીટરનો રોડ શો કરશે.

કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ

કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iMmYqrZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: