ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભીષણ અકસ્માત : આઇસર પલટી ખાતા 11 લોકોના મોત, 41 ઘાયલ

લખનઉ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર

ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં એક આઇસર પટલવાના કારણે 11 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં 41 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ટ્રક ખાઈમાં ખાબકી હતી. આ ટ્રકમાં એક જ પરિવારના 60થી વધારે લોકો સવાર હતાં. ઘાયલ તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સાથે જ મૃતકોના પરિવારને 2-2 લખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

ઘાયલ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના ગંભીર રીતે ઘાયલ થતાં સૈફઈ મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે. આ તમામ શ્રદ્ધાળુ પિનાહટ આગરાના રહેવાસી હતાં. કહેવાય છે કે, ખિડકીયા, રામલીલા ગ્રાઉન્ડ પિનાહટ, આગરાના રહેવાસી વિરેન્દ્ર સિંહ બઘેલના ઘર પર સાત મહિના પહેલા દિકરાનો જન્મ થયો હતો. દિકરાના જન્મની ખુશીમાં પરિવાર અને સંબંધીઓ સાથે લખના કાલિકા મંદિરમાં મુંડન કરાવવા માટે શનિવારે ઘરેથી આઇસરમાં સવાર થઈને નિકળ્યા હતાં.

ઇટાવાના ચકરનગર રોડ પર ઉદી ચોકથી લગભગ 10 કિમી દૂર જઇને ટ્રક અનિયંત્રિત થઇને રસ્તાને કિનારે રહેલી 25 ફૂટ ઉંડી ખાઇમાં ખાબક્યો હતો. આસપાસના ગ્રામીણોની મદદથી પલીસે તમામ લોકોને બહાર કાઢ્યા હતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QaV7rF
via IFTTT

ટિપ્પણીઓ નથી: