રાજ્યમાં કોરોના કાબૂ બહાર : આજે કોરોના કેસોનો આંકડો 5000ને પાર, અમદાવાદની હાલત કફોડી

અમદાવાદ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર

ગુજરાત પાસે હવે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ના હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કારણે રાજ્યની જે સ્થિતિ સર્જાઇ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એકતરફ કોસોમાં વિક્રમજનક વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજન નથી, ઇંજેક્શન નથી અને છેલ્લે સ્મશાનમાં પણ જગ્યા નથી. 

આ બધી સ્થિતિ વચ્ચે આજે કોરોના વાયરસના કેસનો નવો વિક્રમ સર્જાયો છે. રાજ્યમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના 5000 કરતા પણ વધાર નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. સૌથી કફોડી હાલત અત્યારે અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં આજે 1409 અને સુરતમાં 913 કેસ આવ્યા છે. 

રાજ્યમાં એક દિવસમાં મોતનો આંકડો પણ આજે વધીને આજે 49 પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4745 થયો છે. તો આજે 2525 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t9l1KT
via IFTTT

ટિપ્પણીઓ નથી: