કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી

નવી દિલ્હી, તા. 10 એપ્રિલ 2021, શનિવાર
દિલ્હીમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવા માટે કેજરીવાલ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નાઇટ કર્ફ્યુ તો પહેલાથી જ લાગુ હતા, તદઉપરાંત પ્રતિબંધોની લાંબા યાદી જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. દિલ્હીમાં હવે અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ સામેલ થઇ શકશે. જ્યારે લગ્નની અંદર 50 લોકોને એકઠા થવાની છૂટ અપાઇ છે.
નવા આદેશ પ્રમાણે હવે મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. સાથે જ જે લોકો આ રિપોર્ટ વગર આવશે તેમને 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ નિયમમાંથી બંધારણીય અને સરકારી મશીનરી સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે.
નવી ગાઇડલાઇન પ્રમાણે હવે દિલ્હીમાં તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ સ્વિમિંગ પૂલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને બાર પણ 50 ટકા ક્ષમતા સાથે જ ખુલશે. સાથે જ સિનેમા, થિએટરમાં પણ ક્ષમતાના 50 ટકા લોકોને એન્ટ્રી મળશે. તો મેટ્રો અને બસનું સંચાલન પણ 50 ટકા ક્ષમતા સાથે થશે.
તમામ શાળા-કોલેજો અને ટ્યુશન બંધ રહેશે. દિલ્હી સરકારની તમામ ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે ખુલશે. જો કે સ્વાસ્ત્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી વિભાગના કરમચારીઓને છૂટ આપવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQHg1N
via IFTTT
ટિપ્પણીઓ નથી: