ભાજપ અને કોંગ્રેસના રાજમાં કેટલા લોકોએ ભારતીય નાગરિકતા છોડી ? વિદેશ મંત્રીએ આપ્યા આંકડા

નવી દિલ્હી, તા.09 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે મોટી માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયો પોતાની ભારતીય નાગરિકતા છોડી અન્ય દેશોની નાગરિકતા મેળવી છે. પ્રશ્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે આ માહિતી આપી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયો પોતાની નાગરિકતા છોડી દીધી છે. આમાંથી બે લાખથી વધુ (2,25,620) લોકોએ ગત વર્ષે નાગરિકતા છોડી દીધી હતી.

મનમોહન સરકારના કાર્યકાળ દરમિયાન આટલા લોકોએ છોડી નાગરિકતા

  • 2011માં 1,22,819
  • 2012માં 1,20,923
  • 2013માં 1,31,405
  • 2014માં 1,29,328

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આટલા લોકોએ છોડી નાગરિકતા

  • 2015 માં 1,31,489
  • 2016 માં 1,41,603
  • 2017 માં 1,33,049
  • 2018 માં 1,34,561
  • 2019 માં 1,44,017
  • 2020 માં 85,256
  • 2021 માં 1,63,370
  • 2022 માં 2,25,620

2011થી અત્યાર સુધીમાં 16,63,440 લોકોએ દેશની નાગરિકતા છોડી

ઉપર આપેલા તમામ આંકડાઓ ભાજપ સરકાર આવ્યા બાદના છે. જયશંકરે ગત એટલે કે મનમોહન સરકાર દરમિયાનનાં આંકડાઓ પણ જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 2011માં દેશની નાગરિકતા છોડનારાઓની સંખ્યા 1,22,819 હતી, તો 2012માં 1,20,923 લોકોએ નાગરિકતા છોડી, ત્યારબાદ 2013માં 1,31,405 અને 2014માં 1,29,328 લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે, આમ 2011થી અત્યાર સુધીમાં દેશની નાગરિકતા છોડનારાઓની સંખ્યા 16,63,440 પર પહોંચી છે. જયશંકરે ભારતીય નાગરિકતા મેળનારા 135 દેશોની પણ યાદી આપી હતી. ઉપરાંત અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ભારતીયોએ યુએઈની નાગરિકતા મેળવી છે.

ભારતમાં એકલ નાગરિકતા વ્યવસ્થા

ઉલ્લેખનિય છે કે, ભારતના બંધારણ મુજબ અહીં એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. એટલે કે, ભારતીય નાગરિક એક સમયે માત્ર એક જ દેશનો નાગરિક બની શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ દેશની નાગરિકતા મેળવે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે એવું મનાય છે કે લોકો સારી રોજગારી મેળવવા તેમજ રહેણી-કેહણી માટે અન્ય દેશોનો પ્રવાસ કરે છે અને ત્યાંની નાગરિકતા મેળવે છે. ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ-2020 મુજબ, લોકો સારી લાઈફસ્ટાઈલ માટે નવી નાગરિકતા લે છે. ઉપરાંત દેશમાં વધતા ક્રાઈમ રેટ અથવા બિઝનેસની તકોના અભાવને કારણે પણ લોકો આવું કરે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RIbeyCF
via IFTTT

ટિપ્પણીઓ નથી: