વિકાસથી વિપક્ષ નિરાશ, જૈસી જિસકી ભાવના વૈસા દિખે સીન : પીએમ મોદી

- અદાણી મુદ્દે રાહુલના આરોપોનો મોદીએ જવાબ આપ્યો
- ઇડીના કારણે વિપક્ષ એક મંચ પર આવ્યો, એજન્સીનો આભાર માનવો જોઈએ : મોદીનો ટોણો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર આડેહાથ લીધા હતા. સાથે જ વિપક્ષને અનેક મુદ્દે ઘેર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખુશીની વાત છે કે જી-૨૦ની અધ્યક્ષતાની તક ભારતને મળી છે. દેશના ૧૪૦ કરોડ લોકો માટે આ ગૌરવની વાત છે. જોકે મને લાગી રહ્યું છે કે તેનાથી કેટલાક લોકોને દુ:ખ પહોંચ્યું છે. આવા લોકોએ આત્મનિરિક્ષણ કરવાની જરૂર છે કે તેઓ કોણ છે?
વિપક્ષ પર પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત હાસ્ય કવિ કાકા હાથરસીની પંક્તિઓને યાદ કરી હતી અને કહ્યું હતું કે આગા પીછા દેખકર ક્યોં હોતે ગમગીન... જૈસી જિસકી ભાવના, વૈસે દિખે સીન. મોદીએ કહ્યું હતું કે આજે દેશ વિશ્વાસથી ભરેલો છે પણ વિપક્ષ નિરાશ છે. વિપક્ષમાં આ નિરાશા આવવા પાછળનું કારણ જનતાનો આદેશ છે. આ ઉપરાંત વિપક્ષના અંતરમનમાં પડેલી કેટલીક વસ્તુઓ છે જે વિપક્ષને શાંતિથી ઉંઘવા નથી દઇ રહી. આ કઇ વસ્તુઓ છે? વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી એટલે કે ૧૦ વર્ષ સુધી ભારતની અર્થવ્યવસ્થા ખસ્તાહાલ હતી. તેથી વિપક્ષ નિરાશ ન થાય તો શું થાય? તેથી હાલ જ્યારે દેશમાં કઇક સારુ થાય છે ત્યારે વિપક્ષની આ નિરાશા પણ ઉભરીને સામે આવે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસ પહેલા હાર્વર્ડમાં એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનનો વિષય છે ધ રાઇઝ એન્ડ ડિક્લાઇન ઓફ ઇંડિયાઝ કોંગ્રેસ પાર્ટી. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં કોંગ્રેસની બરબાદી પર માત્ર હાર્વર્ડમાં જ નહીં મોટી મોટી યુનિ.માં પણ આ મુદ્દે સંશોધનો થશે. રાહુલ ગાંધીએ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ મોદીએ આ ચાબખા માર્યા હતા, મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકોએ પોતાની પ્રકૃત્તિ અનુસાર જ વાત કરી. મે કાલે જોયુ કે કેટલાક લોકોના ભાષણ બાદ પુરી ઇકોસિસ્ટમ અને સમર્થકો ઉછળી રહ્યા હતા. ખુશ થઇને કહી રહ્યા હતા કે આ થઇને વાત. ઇનકા અબ યહ હાલ હૈ- યે કહ કહ કે હમ દિલ કો બહલા રહે હૈ, વે અબ ચલ ચુકે હૈ વે અબ આ રહે હૈ.
તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં, કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હે યકીન નહીં : મોદી
વડાપ્રધાન મોદીએ સંસદમાં બે શિકારીઓની વાર્તા સંભળાવી હતી, તેમણે કહ્યું હતું કે એક વખત જંગલમાં બે યુવાનો શિકાર કરવા નિકળ્યા હતા, તેઓ ગાડીમાં બંદુક વગેરે ઉતારીને ટહેલવા લાગ્યા, તેઓ ગયા હતા વાઘનો શિકાર કરવા માટે અને એમણે એવુ ધાર્યું હતું કે આગળ જઇશું તો વાઘ દેખાઇ પણ જશે. જોકે થયું એવુ કે વાઘ તો ત્યાં જ આવી ગયો. જોકે યુવાનો પાસે બંદુક હતી નહીં, હવે કરે તો કરે શું? તેઓએ વાઘને બંદુકનું લાઇસેંસ દેખાડી દીધુ. કોંગ્રેસે પણ આ જ રીતે બેરોજગારી દૂર કરવા માટે કાયદો દેખાડયો હતો પણ રોજગારી ન આપી શકી.
દરમિયાન મોદીએ દુષ્યંત કુમારને યાદ કર્યા હતા અને તેમની પંક્તિઓ બોલ્યા હતા. મોદીએ કહ્યું હતું કે તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં, કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હે યકીન નહીં.
મોદીએપ્રખ્યાત હાસ્ય કવિ કાકા હાથરસીની પંક્તિઓને યાદ કરી હતી અને કહ્યું હતું કે આગા પીછા દેખકર ક્યોં હોતે ગમગીન... જૈસી જિસકી ભાવના, વૈસે દિખે સીન.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GViWh7P
via IFTTT
ટિપ્પણીઓ નથી: