મહરષટરમ ભજપ એક તરથ સધય અનક નશન જણ કન થશ વધ ફયદ અન કન થશ નકસન

મુંબઈ, તા.03 જુલાઈ-2023, સોમવાર

મહારાષ્ટ્રમાં રવિવારે થયેલી રાજકીય ઉથલપાથલમાંથી સીધી બે બાબતો સ્પષ્ટ થઇ ગઈ છે. અજીત પવારના બળવાને કારણે એનસીપી નબળી પડી છે તેમજ શરદ પવારની રાજકીય શક્તિ ઘટી અને બીજી તરફ ભાજપે મહારાષ્ટ્રના રાજકારણમાં મજબુત પગપેસારો કર્યો છે. શિંદે સિવાય હવે ભાજપ પાસે અજીત પવાર પણ છે જેનો સીધો ઉપયોગ લોકસભાની ચુંટણીમાં કરી શકે છે. 

આ બે બાબતો સિવાય ત્રીજી સૌથી મોટી બાબત એ છે કે 2024ના છ મહિના પહેલા જ ભાજપે વિપક્ષી એકતા પર જોરદાર પ્રહાર કર્યો છે. તેનું નુકસાન માત્ર શરદ પવારને જ નહીં, પરંતુ ભૂતકાળમાં પટનામાં વિપક્ષી એકતા માટે બેઠકનું આયોજન કરનારા નીતિશ કુમાર સહિત તમામ વિરોધ પક્ષોને થશે. આ ઉપરાંત આગામી સામાન્ય ચૂંટણીમાં ફરી સત્તામાં આવવાના સપના જોઈ રહેલી કોંગ્રેસને પણ આનાથી નુકસાન થયું છે.

એક તીરથી બે શિકાર 

મહારાષ્ટ્રની વાત કરીએ તો  ભાજપે 'અજિત પવાર' નામના એક કાંકરે બે પક્ષી માર્યા છે. સૌપ્રથમ, તેણે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદે પર તેની પકડ મજબૂત કરી છે અને આગામી લોકસભા ચૂંટણી માટે એક નવો ગઠબંધન ભાગીદાર પણ શોધી કાઢ્યો છે. આ સાથે જ ભાજપ સામે એક થવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષી નેતાઓની એકતામાં તિરાડ પડી છે. કારણ કે શરદ પવાર વિપક્ષી એકતાનો મુખ્ય ચહેરો છે અને હવે તેમના જ પક્ષમાં જ બળવો ઉઠ્યો છે.

અજીત પવારના આવવાથી ભાજપ મજબુત થઇ 

શિંદે-ભાજપ સરકારમાં અજીત પવારના આવવાથી ભાજપ મજબૂત થયો છે. શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે કુલ 166 ધારાસભ્યોનું સમર્થન છે. જો શિંદે કેમ્પના 40 ધારાસભ્યો જાય તો આ સંખ્યા 126 થઈ જશે. જો અજિત પવાર છાવણીમાંથી 30 ધારાસભ્યો ઉમેરે તો પણ સરકાર પાસે 156 ધારાસભ્યોનું સમર્થન રહેશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.

આ સંજોગોમાં શિંદે ભલે મુખ્યમંત્રી હોય પરંતુ અજીત અને દેવેન્દ્ર ફડણવીસની જોડી નાયબ મુખ્યમંત્રી તરીકે સરકાર પર હાવી રહેશે. આ સાથે જ પોતાના મુદ્દા અને લોકોને આગળ કરવામાં ઓન આ બે નેતાની જ પીપુડી વાગશે. 

લોકસભા માટે નવો પાર્ટનર મળ્યો

અજિત પવાર પણ ત્રણ સાંસદોનો દાવો કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં શિવસેનાને 18 બેઠકો મળી ત્યારે ભાજપ શિવસેના સાથે હતો. આ વખતે શિંદેને આટલી સીટ મળવાની આશા નથી. અજીતના આગમનથી ભાજપને લોકસભા માટે નવો ભાગીદાર મળ્યો છે. આવી સ્થિતિમાં, અજીતની એનસીપી અને શિંદેની શિવસેના મળીને મહારાષ્ટ્ર અને પછી કેન્દ્રમાં એનડીએને મજબૂત બનાવી શકે છે.

શિવસેના સાથે ગઠબંધન તોડ્યા બાદ ભાજપને મહારાષ્ટ્રમાં શિંદેના રૂપમાં ભાગીદાર મળ્યો, પરંતુ તેમ છતાં આટલા મોટા રાજ્યમાં પાર્ટીને ગઠબંધન માટે મજબૂત ચહેરાની જરૂર હતી. હવે અજિત પવારના કારણે ભાજપ લોકસભા ચૂંટણીમાં એનડીએના પક્ષમાં એનસીપીની મોટી વોટબેંક ખેંચી શકે છે. 

વિપક્ષી એકતાને પણ નુકસાન 

આ સાથે ભાજપનો આ માસ્ટરસ્ટ્રોક વિપક્ષી એકતા સામે પણ કામ કરી ગયો છે. વિપક્ષી છાવણીમાં શરદ પવારને મોટો ચહેરો માનવામાં આવે છે. પરંતુ હવે તેમની હાલત પહેલા જેવી નથી. શરદ પવારની સ્થિતિ પાર્ટીને બચાવવી કે ખુદનું અસ્તિત્વ તેના પર આવી ગઈ છે. હવે આ બળવા સાથે, તેમની નેતૃત્વ ક્ષમતા અને પક્ષને એક સાથે રાખવાના પ્રયાસો નિષ્ફળ જતા જણાય છે કારણ કે પ્રફુલ પટેલ, જેમને તેમણે થોડા દિવસો પહેલા કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા, તે અજિત પવાર સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં આંતરિક વિખવાદનો સામનો કરી રહેલા શરદ પવાર માટે વિપક્ષોને સંગઠિત રાખવાનું મુશ્કેલ થઇ શકે છે. 

કાકા-ભત્રીજા સામસામે 

તાજેતરના ઘટનાક્રમથી જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં મહારાષ્ટ્રના કદાવર નેતાની ઓળખ ધરાવનાર શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર વિરોધી તરીકે સામસામે છે.અજિત પવારે માત્ર પાર્ટી સામે બળવો જ નથી કર્યો, પરંતુ પાર્ટીના નામ અને ચિહ્ન પર પણ દાવો કર્યો છે. 5 જુલાઈએ NCPના બંને જૂથોએ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. આ રીતે શરદ પવારની સામે જે સ્થિતિ ઊભી થઈ છે તેવી જ સ્થિતિ ઉદ્ધવ ઠાકરેની સામે ઊભી થઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદે સાથે નામ અને નિશાનની લાંબી લડાઈ લડી છે. શિવસેનાના બંને જૂથો ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ તરીકે ઓળખાય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jQK9dBk
via IFTTT

ટિપ્પણીઓ નથી: