વદ ભરત ટરન પર ફર પથથરમર આ રજયમ બન ઘટન તજતરમ PMએ લલઝડ બતવ હત
![]() |
|
image : Twitter / representative image |
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી. આ વખતે ધારવાડ-બેંગલુરુ એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નજીવું નુકસાન થયું હતું. પથ્થરમારાની ઘટના દેવનગીરી રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેનને તાજેતરમાં પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. રેલવેએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ સ્ટેશનની નજીકમાં બની ઘટના
શનિવારે 3.30 થી 4 વાગ્યાની વચ્ચે, જેવી જ ટ્રેન દેવનગિરી સ્ટેશનથી નીકળી અને થોડી દૂર પહોંચી તે જ સમયે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો. દક્ષિણ પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે પથ્થરમારામાં કોઈને નુકસાન થયું નથી અને ટ્રેન સેવા પર કોઈ અસર થઈ નથી. ટ્રેન તેના નિર્ધારિત સમયે 7.25 વાગ્યે ગંતવ્ય સ્થાને પહોંચી હતી.
ચેરકારની બારી તૂટી
એક અહેવાલ અનુસાર ટ્રેનના ચેરકાર કમ્પાર્ટમેન્ટ (C4 કોચ)ની બારીના બહારના ભાગને નજીવું નુકસાન થયું છે. વિન્ડોની અંદરનો ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે એમ પણ જણાવ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ તપાસ શરૂ કરી દીધી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wQALtI
via IFTTT

ટિપ્પણીઓ નથી: