વિધાનસભામાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવવા મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- 'પહેલા તમે લખીને આપો કે...'

સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સ સાંસદ મોહમ્મદ અકબર લોન પાસેથી લેખિતમાં સોગંદનામુ માંગ્યું છે કે, તેઓ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો માને છે. લોન કલમ 370 મામલે મુખ્ય અરજીકર્તા છે. લોને વિધાનસભામાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. પોતાના ભાષણો અને નિવેદનોમાં પણ તેઓ અલગાવવાદનું સમર્થન કરતા રહ્યા છે. આ વાતની માહિતી મળ્યા બાદ જજોએ તેમને સોગંદનામુ દાખલ કરવા માટે કહ્યું કે, તેઓ દેશની અખંડતાના પક્ષમાં છે અને જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો માને છે.

મોહમ્મદ અકબર લોન કલમ 370 મામલે અરજીકર્તાઓની યાદીમાં પહેલા નંબરે છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તેમની માટે રજૂ થઈ રહ્યા છે. પોતાની ક્રોસ પૂછપરછ દરમિયાન સિબ્બલે જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનું સૂચન આપ્યું હતું. ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂટની અધ્યક્ષતાવાળી 5 જજનોની સબંધારણિય બેઠકે તાત્કાલિક આ માંગને ફગાવી દીધી હતી. જજોએ સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતના બંધારણમાં એવી કોઈ વ્યવસ્થા નથી.

કોર્ટે શું જણાવ્યું હતું?

સુનાવણીના 15માં દિવસે આજે સામાજિક સંગઠન 'રૂટ્સ ઈન કાશ્મીર' તરફથી રજૂ થયેલા વકીલે લોનના ભારત વિરોધી નિવેદનોના મામલા જજોની સામે રાખ્યા. તેમણે કોર્ટમાં જણાવ્યું કે, લોન રાજ્ય વિધાનસભા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ આ ખૂબ જ આપત્તિજનક ગણાવાયા. મેહતાએ લોન પાસે લેખિત સોગંદનામાની માંગ કરી. તેમણે કહ્યું કે, અરજીકર્તાએ આ લેખિતમાં લાવવામાં આવે કે, તેઓ અલગાવવાદ અને પાકિસ્તાનના આતંકવાદી કરતૂતોનો વિરોધ કરે છે.

સોલિસિટર જનરલે કહ્યું કે, અકબર લોને અત્યાર સુધી પોતાના દેશવિરોધી નિવેદનો માટે માફી નથી માંગી. હવે કોર્ટના સંજ્ઞાનમાં આ વાત આવ્યા બાદ પણ જો અકબર લોનથી સ્પષ્ટતા નહીં માંગવામાં આવે તો લોકોમાં ખોટો મેસેજ જશે. આના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ લોનના વકીલ સાથે આ અંગે સવાલ કરશે.

બપોરે 2 વાગ્યે લોનના વકીલ કપિલ સિબ્બલ આવતા જ ચીફ જસ્ટિસે તેમને પોતાના ક્લાયન્ટના નિવેદનો પર સ્પષ્ટતા માંગી. આના પર સિબ્બલે કહ્યું કે, અમે કોઈપણ ભારતની સંપ્રભુતાને પડકાર નથી આપી રહ્યા. લોન સાંસદ છે અને તેમણે બંધારણના શપથ લીધા છે. સિબ્બલે એમ પણ કહ્યું કે, તેઓ કાયદાકીય પાસાઓ પર ચૂર્ચા કરવા માટે હાજર થયા છે. પોતાના ક્લાયન્ટ તરફથી ખાનગી રીતે અપાયેલા નિવેદનોનો બચા કરવા માટે નહીં. જો લોન પર કોર્ટને કોઈ તકલિફ હોય તો તેઓ એક બીજા અરજીકર્તાઓ તરફથી પોતાની દલીલ રાખવા તૈયાર છે.

કપિલ સિબ્બલનું નિવેદન

કપિલ સિબ્બલના આ નિવેદન પર જજને વિશ્વાસ ન આવ્યો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ સિવાય જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સંજિવ ખન્નાએ પણ કહ્યું કે, લોન પાસેથી સ્પષ્ટતા લેવી જરૂરી છે. ત્યારબાદ ચીફ જસ્ટિસે સિબ્બલને કહ્યું કે, પોતાના ક્લાયન્ટને કહો કે તેઓ સોગંદનામુ દાખલ કરે. તેમાં એવું કહે કે, જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો માને છે. આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોનને એ પણ લખવું જોઈએ કે, તેઓ કોઈપણ અલગાવવાદી ગતિવિધિનું સમર્થન નથી કરતા. ત્યારે તેમની વાત પર સુનાવણી થવી જોઈએ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fyNFYR5
via IFTTT

ટિપ્પણીઓ નથી: