VIDEO : INDIAના મંચ પર લાલુ યાદવે ઈસરો વૈજ્ઞાનિકોને કરી અપીલ, કહ્યું ‘મોદીજીને સૂર્યલોક પહોંચાડો, વિશ્વભરમાં નામ થઈ જશે’

મુંબઈ, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વિપક્ષી ગઠબંધન INDIAના નેતાઓ એકઠા થયા છે... બેઠક બાદ ઈન્ડિયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી... આ દરમિયાન ગઠબંધનના તમામ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી... મંચ પર મોટી મોટી જાહેરાતો થઈ... મોદી સરકાર પર શાબ્દીક પ્રહારો પણ કરાયા... આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો બોલવાનો વારો આવ્યો ત્યારે સૌકોઈ હસી હસીને લોતપોત થઈ ગયા... ઈન્ડિયાના મંચ પર ગઠબંધનના તમામ નેતાઓ ભેગા થયા હતા... લાલુ યાદવ રાહુલ ગાંધી અને એમ.કે.સ્ટાલિનની વચ્ચે બેઠા હતા... સૌકોઈની નજર લાલુ યાદવ પર હતી... કારણ કે, લાલુ યાદવ અનોખા અંદાજમાં બોલવામાં અને લોકોને હસાવવામાં ખુબ જ જાણીતા છે... ત્યારે લાલુ યાદવ ઘણા દિવસો બાદ ફરી નવા અંદાજમાં જોવા મળ્યા...

‘...તેમણે મોદીને રાજધર્મનું પાલન કરવા કહ્યું હતું’

આમ તો ઉંમર મુજબ લાલુ યાદવ નબળા લાગી રહ્યા હતા, જોકે પીએમ નરેન્દ્ર મોદી પર પાવરફુલ શાબ્દીક પ્રહારો કરવામાં કોઈ પાછીપાની કરી ન હતી... તેમણે કહ્યું, સાંભળી લો મોદીજી... તમારી સાથે પહેલાથી લડતો આવ્યો છું ગુજરાતના સમયથી... ત્યારબાદ લાલુએ ભાજપ અધ્યક્ષને યાદ કર્યા તો ભીડમાંથી અવાજ આવ્યો ‘અડવાણી’... તો લાલુ બોલ્યા... અડવાણીની તો માત્ર ધરપકડ કરવામાં આવી હતી, તે નહીં ભાઈ... ત્યારબાદ લાલુએ અટલ બિહારી બાજપાઈની તારીખ કરી... તેમણે કહ્યું, અટલજી જેવા નેતા મેં ક્યારે જોયા નથી... તેમણે મોદીને રાજધર્મનું પાલન કરવા કહ્યું હતું...

‘...અમે પણ 15 લાખની જાળમાં આવી ગયા’

લાલુ યાદવે મમતા બેનર્જીનો પણ ઉલ્લેખ કર્યો... આ દરમિયાન ભીડમાંથી કોઈએ કહ્યું... ‘મમતા તો જતા રહ્યા છે...’ જેના પર લાલુ યાદવે કહ્યું, કોઈ વાત નહીં, અમારુ પ્લેન ઉભુ છે... ત્યાર બાદ લાલુએ ફરી પીએમ પર પ્રહારો કરતા કહ્યું કે... અમે પણ 15 લાખની જાળમાં આવી ગયા અને અમે પત્ની-બાળકો સહિત આખા પરિવારના કુલ 11 લોકોના એકાઉન્ટ ખોલાવ્યા... એક બંડલ પણ ન મળ્યું... લાલુના આ સંબોધન દરમિયાન ત્યાં ઉપસ્થિત સૌકોઈ ખડખડાટ હસવા લાગ્યા...

‘...મોદીજીને ચંદ્રલોક છોડો સૂર્યલોક પર પહોંચાડો’

ત્યારબાદ લાલુ ફરી તેમના જૂના અંદાજમાં જોવા મળ્યા... કટાક્ષ કરી કેવી રીતે નિશાન સાધવું, તે તો કોઈ લાલુ યાદવ પાસેથી શીખે... તેમણે ચંદ્રયાન-3ની સફળતા બદલ ઈસરોની પ્રશંસા કરી... લાલુએ કહ્યું કે, વિશ્વભરમાં ભારતના વૈજ્ઞાનિકોનું નામ થઈ રહ્યું છે... દેશના વૈજ્ઞાનિકોએ આટલું કરી દીધું છે... અમે ઈસરોના વૈજ્ઞાનિકોને અપીલ કરી કે, મોદીજીને ચંદ્રલોક છોડો સૂર્યલોક પર પહોંચાડો, જેથી વિશ્વભરમાં મોદીજીનું નામ થઈ જાય... લાલુ યાદવે ઈડી-સીબીઆઈની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો... તેમણે કહ્યું કે, મારા ઘણા ઓપરેશન થઈ ચુક્યા છે... કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગઈ...



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/La8bzEc
via IFTTT

ટિપ્પણીઓ નથી: