CRPFમાં આત્મહત્યાના કેસો વધ્યા... 23 દિવસમાં 10 જવાને કર્યું સ્યુસાઈડ, 5 વર્ષમાં 194 કેસ, સૌથી વધુ 2021માં

નવી દિલ્હી, તા.05 સપ્ટેમ્બર-2023, મંગળવાર
વિશ્વના સૌથી મોટા કેન્દ્રીય સશસ્ત્ર દળ કેન્દ્રીય અનામત પોલીસ દળના કેન્દ્રીય અનામત પોલીસ દળ - CRPFમાં આત્મહત્યાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સીઆરપીએફમાં છેલ્લા 23 દિવસમાં 10 જવાનોએ આત્મહત્યા કરી હોવાના મામલો સામે આવ્યો છે. આ ઘટના જુદા જુદા રાજ્યોમાં નોંધાઈ છે... છેલ્લા કેટલાક વર્ષોમાં સીઆરપીએફના જવાનો અને કર્મચારીઓની આત્મહત્યા કરવાની વધતી ઘટનાઓ ચિંતાજનક બાબત બની રહી છે. 2018થી 2022 વચ્ચે સીઆરપીએફમાં આત્મહત્યાની કુલ 194 ઘટનાઓ નોંધાઈ છે.
કોબ્રા ફોર્સના ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીની પણ આત્મહત્યા
છેલ્લા 23 દિવસમાં જે 10 મોત થયા છે તે CRPFની વિવિધ શાખાઓમાં નોંધાયા છે. આ આત્મહત્યાની ઘટનાઓ સ્પેશિયલ વિંગ, નક્સલ વિરોધી એકમ કોબ્રા અને જમ્મુ-કાશ્મીર યુનિટ, આસામ, ઓડિશા અને ઝારખંડ, પુલવામા અને શ્રીનગર જેવા સ્થળોએ બની છે. આત્મહત્યાઓમાં કોબ્રા ફોર્સના ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીનું મોત પણ સામેલ છે.
સૌથી વધુ 2021માં CRPFના જવાનોએ આત્મહત્યા કરી
સત્તાવાર ડેટા મુજબ 2018થી 2021 સુધીમાં 5 વર્ષના સમયગાળા દરમિયાન સીઆરપીએફ જવાનોમાં આત્મહત્યા કરવાની ઘટનામાં ચિંતાજનક વૃદ્ધિ નોંધાઈ છે. 2018માં 36 જવાનોએ આત્મહત્યા કરી હતી, ત્યારબાદ 2019માં 40, 2020માં 54, 2021માં 57 જ્યારે 2022માં 43 જવાનોએ આત્મહત્યા કરી હતી.
આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 34 આત્મહત્યાની ઘટના
આ વર્ષે 12 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે 10 જવાનોએ આત્મહત્યા કરી હોવાના મામલા સામે આવ્યા છે. ડેટા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં સીઆરપીએફમાં કુલ 34 આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ogcLvlJ
via IFTTT
ટિપ્પણીઓ નથી: