ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું, ઈસરોએ ટ્વિટ કરીને આપી માહિતી

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. ઈસરો માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ મામલે ખુદ ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા પકડી લીધી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની ચારેબાજુએ 166KM x 18054 કિલોમીટરની ઈંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું હતું. તેની સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટીમાં ફસાઈ ગયું હતું. હવે તે તેની ચારેકોર ચક્કર લગાવતો રહેશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 5, 2023
“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
🙂
Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.
A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.
The next… pic.twitter.com/6T5acwiEGb
તેને લ્યૂનર ઓર્બિટ ઈંજેક્શન કે ઈન્સર્શન પણ કહેવાય છે
તેને લ્યૂનર ઓર્બિટ ઈંજેક્શન કે ઈન્સર્શન પણ કહેવાય છે. ચંદ્રની ચારેબાજુ પાંચ ઓર્બિટ બદલાશે. આજ પછી 6 ઓગસ્ટની રાતે 11ની આજુબાજુ ચંદ્રયાનની ઓર્બિટને 10થી 12 હજાર કિમીવાળા ઓર્બિટમાં નખાશે. 9 ઓગસ્ટની બપોરે પોણા બે વાગ્યે આશરે તેની ઓર્બિટને બદલી 4થી 5 હજાર કિલોમીટરની ઓર્બિટમાં નાખવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/s01BiLH
via IFTTT
ટિપ્પણીઓ નથી: