IND Vs IRE: આગામી T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બુમરાહ હશે કેપ્ટન

આયર્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિને રમાનારી ત્રણ મેચોની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ચૂક્યું છે. આ ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. એટલું જ નહીં જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન બનાવાયા છે. BCCIએ આયર્લેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓને જ મોકલવાનો નિર્ણય લેવાયો છે. ઋતુરાજ ગાયકવાડને આયર્લેન્ડ પ્રવાસ માટે વાઈસ કેપ્ટન બનાવાયો છે.
IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને અંતે ટીમમાં મોકો મળી ગયો છે. જિતેશ શર્માને પણ ટીમમાં જગ્યા મળી છે. બુમરાહ સિવાય ઈજાગ્રસ્ત રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ ટીમમાં વાપસી થઈ છે. લાંબા સમય બાદ શિવમ દુબેને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા અપાઈ છે.
ભારતીય ટીમમાં કોને કોને મળી જગ્યા?
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, રિંકૂ સિંહ, સંજૂ સેમસન, જિતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.
NEWS 🚨- @Jaspritbumrah93 to lead #TeamIndia for Ireland T20Is.
— BCCI (@BCCI) July 31, 2023
Team - Jasprit Bumrah (Capt), Ruturaj Gaikwad (vc), Yashasvi Jaiswal, Tilak Varma, Rinku Singh, Sanju Samson (wk), Jitesh Sharma (wk), Shivam Dube, W Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Prasidh Krishna, Arshdeep…
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xwEKFM9
via IFTTT
ટિપ્પણીઓ નથી: