પશ્ચિમ બંગાળમાં મદરેસાઓના સર્વેને લઈને મમતાનું મોટું એલાન, કેન્દ્ર વિરૂદ્ધ કરાશે પ્રદર્શન

કોલકાતા, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, આખા રાજ્યમાં એક સર્વે હાથ ધરાશે, જેમાં તમામ મદરેસાઓનું રજિસ્ટ્રેશન કરાશે. તેમણે કહ્યું કે, સરકારમાં મદરેસાઓનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. જે મદરેસાઓ રજીસ્ટ્રેશન કરાવવા માંગતુ નથી, તેઓ સર્વેમાં ભાગ લઈને આવું કરી શકે છે. ઉપરાંત તેમણે કહ્યું કે, હવે પશ્ચિમ બંગાળમાં શબ-એ-બારાત અને કરણી પૂજાના દિવસે જાહેર રજા રહેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સરકારી રજાઓ હોય છે. આ દરમિયાન મમતાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા...
મદરેસાઓ અંગે મમતાએ કહી આ વાત
મમતા બેનર્જીએ કહ્યું કે, મદરેસાઓનું રજિસ્ટ્રેશન કરવાથી ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે, રજિસ્ટ્રેશન કરાવાથી મુસ્લિમ યુવક-યુવતીઓ નોકરી અને અભ્યાસ માટે ઘણી સુવિધાઓ મેળવી શકશે. આ પ્રક્રિયામાં મદરેસાઓ તેમની ઈચ્છા મુજબ ભાગ લઈ શકશે. તેમણે કહ્યું કે, અમે લોકો તમામ તહેવારોને સમાન નજરે જોઈએ છીએ... રાજ્યમાં તમામ તહેવારોને સમાન મહત્વ અપાશે અને રજાઓ પણ આપવામાં આવે છે.
6 ઓગસ્ટે આખા બંગાળમાં પ્રદર્શન કરવાનો મમતાનો હુંકાર
મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 6 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે, જેમાં બ્લોક સ્તરેથી લઈને શહેરમાં વોર્ડ સ્તરે વિરોધ કરાશે. કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ એક રાજકીય નિર્ણય અને વિરોધ કરાશે.
દેવા અંગે મમતાએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
મમતાએ કેન્દ્ર સરકાર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેઓ (કેન્દ્ર સરકાર) માત્ર એવું કે છે કે, પશ્ચિમ બંગાળનું દેવું વધી રહ્યું છે. તેઓ ક્યારેય પોતાના પર કેટલું દેવું વધ્યું છે, તેની વાત કરતા નથી... આટલી બધી યોજનાઓ લાગુ કરવા છતાં અમે રાજ્યનું દેવું હળવું કર્યું, તેમ છતાં તેઓ ક્યારે અમને જવાબ આપતા નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/M3DCGT0
via IFTTT
ટિપ્પણીઓ નથી: