અતીક-અશરફની હત્યાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો, યુપીમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસ માગ કરાઇ

image : Twitter


પ્રયાગરાજમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં 2017 પછી ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ 183 એન્કાઉન્ટરોની પણ તપાસની માંગ કરવામાં આવી છે.

એડવોકેટ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી 

એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અતીક અને તેના ભાઈની હત્યાની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પોલીસ એન્કાઉન્ટર લોકશાહી તેમજ કાયદાના શાસન માટે જોખમી છે.

સુપ્રીમ કોર્ટે અતીકની સુરક્ષાની માંગ કરતી અરજીને ફગાવી હતી

શનિવારે પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેના લગભગ બે અઠવાડિયા પહેલા, સુપ્રીમ કોર્ટે ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડી દરમિયાન અતીક અહેમદની સુરક્ષાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં અતીકે પોતાના જીવને જોખમ હોવાનું જણાવી સુરક્ષાની માંગણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેને અને તેના પરિવારને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ સરકાર સુરક્ષાનું ધ્યાન રાખશે

નોંધનીય છે કે 28 માર્ચે અતીકની સુરક્ષા માટેની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે તેને ગુજરાતથી ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યો હોવાથી સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી માટે કોઈ કેસ બાકી નથી. કોર્ટે કહ્યું હતું કે તે ન્યાયિક કસ્ટડીમાં હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર તેની સુરક્ષાનું ધ્યાન રાખશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dYnhkLD
via IFTTT

ટિપ્પણીઓ નથી: